Mysamachar.in-જામનગર:EXCLUSIVE
જામનગર કોર્પોરેશનમા ભરતી અને બઢતી મામલે રોસ્ટર રજી.પાયા વિહોણા બનાવીને વિવિધ સંવર્ગમા JMC એ તરકટ કર્યાની બાબત સામે આવતા હવે ચકચાર મચી છે, કેમકે વંચીતોના આર્થીક સામાજીક પ્રગતિ માટેના હક ઉપર પાણી ઢોળ કરી SC ST ને પૂર્ણ તક અપાતી જ નથી જેના દાખલા સાથે વિસ્તૃત રજુઆતમા પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ અને હાલના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્ધારા દલીલ થતા કોર્પોરેશ મુંઝાયુ છે અને કોર્પો. ઉપર ભીંસ પણ વધી છે કેમકે આગામી ચુંટણી ઉપર આ મુદો જો ચગેલો જ રહે તો પ્રતિકુળ અસર શાસક પક્ષને ચોક્કસ થઇ શકે તેમ છે, કોર્પોરેશનમાં કથિત સેટીંગ કરીને વંચિત વર્ગને તેમના હ્કોથી વંચિત રાખનારાઓ સામે અદાલતના દ્વાર ખખડાવાશે તો અદાલત દ્વારા જવાબદારો ઉપર આકરા પગલા તોળાય શકે… ખાસ કરીને રોસ્ટરનિયમ નેવે મુકીને સમાંતર રીતે “સાચવી” લેનારને આઉટ ઓફ વે મલાઇ મળી છે તે સોસરવી નીકળી શકે છે તેવી શક્યતા નિષ્ણાંતો જુએ છે
જામનગર મનપાના એ જવાબદારોના શુ હાલ થશે? તે કલ્પના જ ધ્રુજાવે છે લગતને “વેગ” છુટશે….!?કેમકે હવે ચિરહરણ? થશે અને દુધ નુ દુધ ને પાણીનુ પાણી થશે માટે જ આ વિસ્તૃત રજુઆત થતા લગતના પેટ વછુટ્યા છે અને તોળાતા પગલાની ભિતીથી સમુનમુ કરવા ખાનગી મીટીંગમા એક નેતા તેના સાગરીત અને નિવૃત સહિત બે અધીકારીઓ શીયાવીયાં થઇ હવાતીયા મારતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે.
-પગાર રાજ્ય અને કેન્દ્ર ધોરણો તો ભરતી બઢતીમા ઘરની ધોરાજી કેમ??
સમગ્ર પ્રકરણને ફરીથી સમજીએ તો જામનગર મહાનગરપાલિકામાં સિનીયોરીટી અંગેના નિયમો પણ નથી. માત્ર જે તે વખતના કમિશ્નરનો એક સ્પીકિંગ ઓર્ડર કરવામાં આવેલ છે.. જેને આધારે સિનીયોરીટી લીસ્ટ જામનગર મહાનગરપાલિકામાં તૈયાર કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા સિનીયોરીટી લીસ્ટ તૈયાર કરવા બાબતેના નિયમો બનાવવામાં આવેલ છે.જે નિયમોને નેવે મુકીને જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના ઘરના મનઘડત નિયમો બનાવેલ છે અને અત્યારસુધી મામકા લાડકા અને ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે.તેવો ખુલ્લો આક્ષેપ આનંદ ગોહિલ અને આનંદ રાઠોડ દ્વારા પત્રમાં કરવામાં આવતા મનપામાં આ પત્રએ દોડધામ મચાવી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા ભરતી-બઢતી, સિનીયોરીટી, રોસ્ટર આ તમામના નિયમો ઘડવામાં આવેલ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ પગારપંચ ઇન ટોટો અપનાવવામાં આવેલ છે. આજે જ્યારે પગારપંચ રાજ્ય અને કેન્દ્ર સરકારના અપનાવેલ હોઈ તો કર્મચારીઓ માટે નોકરીની શરતો પણ રાજ્ય કેન્દ્ર સરકારની જ અપનાવવાની રહે છે.
-ચોક્કસ રજીસ્ટર જ અપાયા..!કેમ?
વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર આનંદ રાઠોડ ના પત્રના અનુસંધાને તેઓને છેલ્લા ત્રણ રોસ્ટર રજીસ્ટરો અનુક્રમે વર્ષ 2008,2012, અને 2021 સામાન્ય વહીવટ વિભાગ જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકામાં તારીખ 24/4/1997 અને 25/4/1997 ના સમાજ કલ્યાણ વિભાગના નાયબ સચિવ પી એચ. સર્વાકર અને તેમની ટીમ દ્વારા રોસ્ટર રજીસ્ટરના નિરીક્ષણ બાબતે જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લીધેલ અને જે તે સમયના પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરોની ચકાસણી કરી વિગત વાર અહેવાલ સુપ્રત કૉલમ અહેવાલ જોતા સામન્ય વહીવટ વિભાગ દ્વારા 1995/96 માં બનાવેલ રોસ્ટર રજીસ્ટરોની નકલ પૂરી પાડેલ નથી
-મહત્વની વાત….
સરકારના અહેવાલ મુજબની એક પણ સૂચનાઓનું પાલન જામનગર મહાનગરપાલિકા દ્વારા રોસ્ટર માટે આજની તારીખે પણ કરવામાં આવેલ નથી..સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સને 2008 અને 2012 માં બનાવવામાં આવેલ રોસ્ટર રજીસ્ટરોએ માત્ર શહેરી વિકાસ વિભાગમા પ્રમાણિત કરાયેલ છે. જયારે રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવાની સત્તા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે છે.તેમ સીધો જ આક્ષેપ કરી આ બંને પ્રતિનિધીઓએ ઉમેર્યુ છે કે તત્કાલીન રાષ્ટ્રીય અનુસુચિત જાતી આયોગના ચેરેમેન પણ કહેલા નિયમો મુજબ ના નમુના બનાવાયા નથી…!! અને તા.22/12/2009 ના ડો. બુટ્ટા સિંઘ, ચેરમેન રાષ્ટ્રીય અનુસુચિત જાતી આયોગ દ્વારા જામનગર મહાનગરપાલિકાના રોસ્ટર રજીસ્ટરોનું નિરીક્ષણ કરેલ અને આ રજીસ્ટર નિયત નમુના મુજબના ન હોવાનો રીમાર્કસ આપી નિયત નમુના મુજબનું રોસ્ટર રજીસ્ટર નિભાવવા સુચના આપી હતી. અર્થાત સને 2008 માં બનાવવામાં આવેલ રોસ્ટર રજીસ્ટરો નિયમો અનુશારના ન હતા. આમ, સને 1996/97 ના રજીસ્ટરો અને સને 2008 ના રજીસ્ટરો નિયમોનુંશાર ના બનાવેલ ન હતા એ સમાજ કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવેલ છે. હવે જો અગાઉ ના રજીસ્ટરો જ ખોટા હોઈ અને ત્યાર બાદના તેના આધારે બનાવવામાં આવેલ રજીસ્ટરો ખોટા જ હોવાના એ સ્વાભાવિક જ છે ને?? તેમ અભ્યાસનુ તારણ કઢાયુ છે,
-સામાજીક ન્યાય અને અધીકારીતા વિભાગના આદેશના ઉલાળીયા કરી મનઘડત રોસ્ટર રજીસ્ટર બનાવતુ જામ્યુકો
રોસ્ટર રજીસ્ટરો નિયમો અનુશારના નથી,અધૂરા-અપૂરતા હોવાનું તો જણાય છે પણ સાથો-સાથ નિયત થયેલ નમુના મુજબ પણ નથી. તેમજ ઉતરોતર જે સમન્વય જળવાવો જોયે તે જળવાતી નથી. જેમકે દરેક રોસ્ટર રજીસ્ટરમાં ભરતી અને બઢતીના રોસ્ટરમા સંવર્ગની સંખ્યાઓમાં વિસંગતતા જોવા મળે છે સાથે અધુરી માહિતી આપી પ્રાથમિક દ્રષ્ટીએ જ સા.વ.વિ. જામનગર મહાનગરપાલિકા દ્વારા માહિતી છુપાવવામાં આવેલ છે.રોસ્ટર કેવી રીતે તૈયાર થાય તેના પણ નિયમ છે પણ અમલવારી કેમ નહી.? જગ્યા આધારિત રોસ્ટર અમલમાં મુકવાનું રહે છે નહીં કે ખાલી જગ્યા આધારિત અને રોસ્ટર રજીસ્ટર કેવી રીતે તૈયાર કરવા અને દર વર્ષે કેવી રીતે અપડેટ કરવા કેવી રીતે પ્રમાણિત કરવા આ સમગ્ર બાબતોના નિયમો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘડવામાં આવેલ છે. અને તે નિયમ જામનગર મહાનગરપાલિકાને પણ લાગુ પડે છે અને નિયમો અવલોકનને ધ્યાને લેતા રોસ્ટર રજીસ્ટરમાં સૌપ્રથમ જગ્યા આધારિત રોસ્ટર અમલમાં મુકવાનું રહે છે, નહીં કે ખાલી જગ્યા આધારિત જામનગર મહાનગરપાલિકાના રોસ્ટર રજીસ્ટર ચકાસતા આ રજીસ્ટરો ખાલી જગ્યા આધારિત તૈયાર કરવામાં આવા છે જે તદન નિયમની વિરુધ્ધ છે, વધુમાં રોસ્ટર રજીસ્ટરમાં આગળના વર્ષ-આગળ ખેંચેલી અનામતની જગ્યાઓ દર્શાવવાની રહે છે પણ જામનગરમહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ રજીસ્ટરોમાં ક્યાય આગળના વર્ષોની ખેચેલી અનામતની જગ્યાઓ દર્શાવવામાં જ આવેલ નથી. એટલે સુધી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ રજીસ્ટરોમાં ક્યાય આગળના વર્ષોની ખેચેલી અનામતની જગ્યાઓ દર્શાવવામાં જ આવેલ નથી. એટલે સુધી કે ત્રણ પૈકી એક પણ રોસ્ટર રજીસ્ટરમાં નિયત થયેલ નમુના મુજબ ટાઇટલમાં આવી કોલમ જ રાખવામાં આવેલ નથી,
તો આ રોસ્ટર રજીસ્ટરો કેટલો અંશે સાચા ગણી શકાય?રોસ્ટર રજીસ્ટરો સૌ પ્રથમ વખત તૈયાર કરવા માટે પણ સરકાર દ્વારા જોગવાઈઓ નિયમો બનાવવામાં આવેલ છે.ઘટ બેકલોગ માટે પણ નિયમો બનાવવામાં આવેલ છે ઉપરાંત 2 થી 14 જગ્યા સુધીના સંખ્યાબળ માટે અનામત રોસ્ટર રજીસ્ટરો કેવી રીતે નિભાવવાના તેના નિયમો અને પરિશિષ્ટો પણ નિયત કરવામાં આવેલ છે.રોસ્ટર રજીસ્ટરો કેવી રીતે પ્રમાણિત કરવાના તે માટેની માર્ગદર્શિકા અને નિયમો પણ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકાના રોસ્ટર રજીસ્ટરો ચકાસતા આમાંની એક પણ નિયમની અમલવારી જામનગર મનપા દ્વારા કરવામાં આવેલ હોઈ તેમ જણાતું નથી.વધુમાં રોસ્ટર રજીસ્ટરો સાથેના નિયત નમુનાના પરીસીષ્ટો તૈયાર કરવાના રહે છે. જે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ હોઈ તેવું આપવામાં આવેલ માહિતી પરથી જણાતું નથી.માટે જામનગર મહાનગરપાલિકાના છેલ્લા મંજુર થયેલ મહેકમની તા. 1/7/2020 ની સ્થિતિ એ સેટઅપમાં કુલ 87 જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે.જેની સામે આપવામાં આવેલ રોસ્ટર રજીસ્ટરમાં વર્ષ 2021ના) સીધી ભરતીમાં 37 સમકક્ષ વર્ગ-1નીજગ્યા અને બઢતીમાં 26 સંવર્ગ જ્ગ્યાનો જ સમાવેશ થાય છે જે પેક્કી પણ વહીવટી અધિકારી સમક્ષ વર્ગ-1 ની જગ્યા, નાયબ ઈજનેર, જુનીયર ઈજનેર, જુ ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર, S.S.Iની આમ કુલ પાંચ સંવર્ગની જગ્યા કોમન નીકળતા 37+26-5= 58 સંવર્ગની જગ્યાનું રોસ્ટર રજીસ્ટર બનાવેલ છે.તો બાકી રહેતી 87-58=29 સંવર્ગની જગ્યાના રોસ્ટર રજીસ્ટર ક્યા..? આ જ પ્રકારે વર્ષ 2008 અને 2012 ના રોસ્ટર રજીસ્ટરોમાં પણ સંવર્ગમાં વિસંગતતા જોવા મળેલ છે.વધુમાં રજુ થયેલ રજીસ્ટરોમાં સીધી ભરતી અને બઢતીની સંવર્ગની જગ્યાઓ કેવી રીતે નક્કી કરેલ કેટલી અને કઈ જગ્યા સીધી ભરતીમાં અને કેટલી અને કઈ જગ્યા બઢતીમાં લેવી તે અંગેનો સામાન્ય સમિતિ દ્વારા કોઈ ઠરાવ થયેલ હોઈ કમિશ્નર દ્વારા કોઈ ઠરાવ થયેલ હોઇ તેવુ રજૂઆતકર્તાને ધ્યાનમાં નથી
-રસપ્રદ કેસ સ્ટડી
રજૂઆત કરનાર દ્વારા રોસ્ટર રજીસ્ટરના જામનગર નગરપાલિકાના વહીવટનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત અધિકારીઓ અને અન્ય વિભાગના પણ રોસ્ટર રજીસ્ટરના નિષ્ણાંત અધિકારી આ ત્રણેય પ્રમાણિત થયેલ રોસ્ટર રજીસ્ટરની નકલો આપી અને અભ્યાસ કરવા જણાવેલ અને ખરેખર બનવા પાત્ર રોસ્ટર રજીસ્ટર બનાવવા કહેલ, અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને નિવૃત થયેલ અને સિનીયર કર્મચારીઓ અને અધિકારીઓની મદદથી અમો દ્વારા ફક્ત બઢતી માટેના કુલ ચાર સંવર્ગ ની જગ્યા જે પૈકી બે જગ્યા વહીવટી અને બે જગ્યા ટેકનીકલની જગ્યાનો કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરીને રોસ્ટર રજીસ્ટર તૈયાર કરવામાં આવેલ છે.જેના આધારે તેમાં રહેલ અને જાણી જોઈ ને કોઈ એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવા માટે રોસ્ટર રજીસ્ટરમાં ખુબ જ ગંભીર ભૂલો કરવામાં આવેલ છે જેની ખાત્રી આપ નીચે મુજબના કુલ 87 પૈકીના ફક્ત ચાર કેસ સ્ટડીથી જ જાણી શકાશે
-જેમાં કેસ સ્ટડી ડેપ્યુટી કમિશ્નર સમકક્ષની કુલ 3 જગ્યા માટે.અધિકારી નિવૃત તેમ છતાં જગ્યા ભરાયેલ
હાલે રજુઆત કરનારને જે રોસ્ટર રજીસ્ટરો આપવામાં આવેલ છે. તે પૈકી વર્ષ 2021 ના ફક્ત બઢતીના રોસ્ટર રજીસ્ટર મુજબ આ રજીસ્ટર તા. 1/1/2021 ની સ્થિતિ એ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સૌ પ્રથમ જ ડેપ્યુટી કમિશ્નર સમકક્ષની કુલ 3 જગ્યા દર્શાવવામાં આવેલ છે. પત્રક- ખ મુજબ જેમાં 1 જગ્યા કુંભારાણા મુકેશકુમાર કરશનભાઇ ની બિન અનામત ભરાયેલ જગ્યા દર્શાવેલ છે.અને બાકીની કોઈ જ વિગતો દર્શાવેલ નથી કુંભારાણા મુકેશકુમાર કરશનભાઇ એ 31/7/2019 ના રોજ સેવા નિવૃત થયેલ છે. તેમ છતાં તા. 1/1/2021 ની સ્થિતિ એ જગ્યા ભરાયેલ દર્શાવેલ છે અને વધ ઘટ કે બેકલોગ ના કોલમમાં 0” (શૂન્ય) દર્શાવેલ છે.હક્કીક્ત તા. 1/1/2021 ની સ્થિતિએ તમામ જગ્યા ખાલી છે.અને સદરહુ જગ્યા એ 14 થી ઓછા સંવર્ગ વાળી જગ્યા હોઈ રોસ્ટર ક્રમાંક 7 અજજા.ની રહેવા જાય છે. જામનગર મહાનગરપાલિકામાં આ રોસ્ટર વાળી જગ્યામા અપાયેલ બઢતી ધ્યાને લેતા સી એમ પારેખ AMC , સેવા નિવૃત્તિ, મનસુખલાલ સી ઠાકર AMC TAX, સેવ નિવૃત્તિ, વિપીનચંદ્ર જે બૂચ AMC & DMC સેવા નિવૃત્તિ, સૂર્યકાંત શાહ AMC, સેવા નિવૃત, એમ કે. કુમ્ભારાણા AMC, નિવૃત્તિ તા.31/7/2019નો સમાવેશ થાય છે આમ, પ્રથમ સંવર્ગનું રોસ્ટર રજીસ્ટર જ ખોટું રજુ થયેલ છે અને ખોટું પ્રમાણિત થયેલ છે,
-કેસ સ્ટડી કાર્યપાલક ઈજનેરની 5 જગ્યા માટે
બીજા સંવર્ગની જગ્યા કાર્યપાલક ઈજનેરની ચકાસતા એ પણ 14 થી ઓછા સંવર્ગ વાળી જગ્યામાં સમાવિષ્ટ થાય છે મનપામાં આ જગ્યા બઢતીથી જ ભરવામાં આવે છે તેવું રોસ્ટર રજીસ્ટર પરથી જણાય છે, કેમ કે સીધી ભરતીના સંવર્ગમાં આ જગ્યાનો ઉલ્લેખ નથી ,જયારે હકીકતમાં કુલ ત્રણ જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવેલ છે.કુલ મંજુર થયેલ 5 જગ્યા સામે અત્યાર સુધીમાં 13 કર્મચારીઓને બઢતી આપવમાં આવી છે જે ચકાસતા 7 મી જગ્યા અનુસુચિત જન જાતી ની થવા જાય છે, જયારે રોસ્ટર રજીસ્ટરમાં માત્ર 2 જ જગ્યા અને એ પણ બિન અનામત રોસ્ટર ક્રમાંક દર્શાવેલ છે જેમાંથી દિનેશભાઈ છત્રાલાનું નિધન 7/4/2019 ના થયેલ હોય છતાં 1/1/2021 સ્થિતિએ એ 2 જગ્યા ભરાયેલ દર્શાવેલ છે વઘ ઘટ કે બેકલોગ દર્શાવેલ નથી,
તેવી જ રીતે નાયબ કાર્યપાલક ઈજનેરની કુલ 19 જગ્યા માટે સીધી ભરતી-બઢતીનો કોઈ જ રેશિયો નિયત થયેલ નથી જયારે રોસ્ટર રજીસ્ટર મો-૧ જગ્યા સીધી ભરતીમાં જયારે બાકીની જગ્યા બઢતીમાં દર્શાવેલ છે સીધી ભરતીમાં દર્શાવેલ જગ્યા હાલે ખાલી છે. આમ એ રજીસ્ટર પણ ખોટું બનાવેલ છે. નથી તો તેમાં વધઘટ બેક લોગ દર્શાવેલ હવે વાત કરીએ બઢતીની તો જામનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા તારીખથી અત્યાર સુધીના નિવૃત થયેલ/બઢતી પામેલ અને હાલે સેવા ચાલુ હોઈ તેવા નાયબ કાર્યપાલક ઈજનેર ની વિગતો આ સાથે સામેલ પત્રક-જ મુજબ છે.જે રોસ્ટર ક્રમ મુજબ ગોઠવતા ક્રમ-7,14,20,27,34 અને40 પર અનુસુચિત જનજાતિ કેટેગરીનો ક્રમાક આવે છે. અને ક્રમ 15,29,43 પર અનુસુચિત જાતી કેટેગરીનો કમાક આવે છે અને જેનીસામે જામનગર મહાનગરપાલિકા દ્વારા રજુ થયેલ રોસ્ટર રજીસ્ટરમાં આ ક્રમાંક બદલતો રહે છેજેનું વર્ષ 2008,2012 અને 2021 નાં પ્રમાણિત થયેલ રોસ્ટર રજીસ્ટરમાં આવતા ઉપરોક્ત કમ અને તેની સામેની વ્યક્તિના નામ કોષ્ટકમાં દર્શાવેલ છે.
-આક્ષેપો પાયાવિહોણા
જામનગર મહાનગરપાલિકા રોસ્ટરના નિયમોમા અન્યાય કરે છે અને મનઘડત રોસ્ટર રજીસ્ટર બનાવે સચોટ ઉદાહરણો સથેની વિસ્તૃત રજુઆતનો પ્રતિસાદ આપવાના બદલે ડીએમસી વસ્તાણીએ જણાવ્યુ હતુ કે આ રજુઆત પાયા વિહોણી છે વિરોધ મનઘડત છે…..જો કે આવુ કહેતી વખતે વસ્તાણીની આખો કઇક જુદુ કહેવા જઇ રહી હતી પરંતુ તેમની કોઇ મજબુરી કે મર્યાદા હોઇ શકે છે.