Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ કાઈ આજકાલથી નથી વર્ષોથી શહેરના મુખ્યમાર્ગો પર પશુઓનો અડીંગો જમાવેલ જોવા મળે છે, જેને કારણે ભૂતકાળમાં કેટલાક લોકો મોતને ભેટ્યા છે, તો કેટલાય ઈજાગ્રસ્ત પણ બન્યાના દાખલા મૌજુદ છે, છતાં વર્ષોથી મહાનગરપાલિકા આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી અને તેનો સ્વીકાર પણ નથી કરતી ઉલટાનું મનપાની સોલીડ વેસ્ટ શાખાના ઉત્સાહિત નાયબ ઈજનેર એકાદ વાર થોડા ઘણા ઢોર પકડીને વાહવાહી લૂટવા અખબારી યાદી ચોક્કસથી જાહેર કરે છે. એવામાં બે દિવસ પૂર્વે રણજીતરોડ પર ચૌહાણફળી એકમાં બનેલ ઘટનાના સામે આવેલ સીસીટીવીએ ભારે ચકચાર મચાવી દીધી છે. અને ગઈકાલે આખો દિવસ પદાધિકારીઓ અને અધિકારીઓ પર મીડિયાનો હલ્લાબોલ રહ્યા બાદ આ અંગેનું વધુ એક જાહેરનામું આજે મ્યુ.કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ પહેલું જાહેરનામું પણ પહેલું નથી ભૂતકાળમાં પણ તત્કાલીન કમિશનરો આવા જાહેરનામાંઓ બહાર પાડી ચુક્યા છે પણ તેની અમલવારી બે ચાર આઠ દિવસ થાય છે પછી સ્થિતિ ઠેર ની ઠેર થઇ જાય છે, આશા રાખીએ કે જામનગરના નિયમોની અમલવારીમાં કડકાઈથી માનતા અને શિસ્તના આગ્રહી કમિશ્નર વિજયકુમાર ખરાડીએ પ્રસિદ્ધ કરાવેલ જાહેરનામાની અમલવારી ચોક્કસ થાય અને લોકો રસ્તે રઝળતા પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવે અને રસ્તે રઝળતા પશુઓને છોડી દેનાર માલિકો સામે કડક કાર્યવાહી થાય..આજે પ્રસિદ્ધ થયેલ જાહેરનામું અક્ષરશ:જોઈએ તો
ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમ-1949ની કલમ-453 અન્વયેના નિયમોની અનુસૂચિ-ક, પક૨ણ-14ના નિયમ-22 થી 24, કલમ-396 અન્વયે પશુઓના કારણે થતા જાનમાલના નુકશાન બાબતે જાહેરનામું જામનગર શહેરી વિસ્તારમાં સ્કૂલો, પાથમિક શાળા, માધ્યમિક શાળાઓ, કોલેજો, સરકારી, અર્ધસરકારી કચેરીઓ, સરકારી તથા ખાનગી હોસ્પિટલો, કોમર્શિયલ વિસ્તારો, આશ્રમો, ધાર્મિક સ્થળો તથા સરકારી અને ખાનગી રહેઠાણો આવેલા છે. જામનગર શહેર વિસ્તારમાં દિન-પ્રતિદિન ૨ખડતા ઢોરોની સંખ્યા વધી રહી છે. તેમજ બહારથી કેટલાક માલધારીઓ જામનગર શહેરના સરહદી વિસ્તાર તથા શહેરના વિસ્તારમાં પોતાના પશુધન સાથે વસવાટ કરે છે. આ ઉપરાંત સ્થળાંતર થતા ઢોરો પણ જામનગર શહેર વિસ્તારમાં બિનવારસુ મળી આવે છે.
તેમજ જામનગર શહેરના મોટા ભાગના શહેર વિસ્તારમાં રખડતા ભટકતા ઢોરોનો ખુબ જ ત્રાસ રહે છે. જેથી ગંદકી થાય છે અને રોગચાળાની સંભાવના રહે છે. ટ્રાફિક નિયમનમાં પણ ઘણી જ મુશ્કેલી પડે છે. જાહેર માર્ગોને બાનમાં લીધા હોય તેવી સ્થિતિનું નિર્માણ કરે છે અને અકસ્માતનો થવાનો ભય રહે છે. જેનાથી લોકોને ઈજા તથા જાનનું નુકશાન પણ થઈ શકે છે. જેથી જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને સલામતિ તેમજ જાહેર વ્યવસ્થા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે જોવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. રખડતા ભટકતા ઢોરોને કારણે અકસ્માત થાય છે અને મનુષ્યવધનો ગુનો બને છે તથા માનવના જીવનું જોખમ રહે છે. ઢોરના કારણે થતા અકસ્માત સંબબ ગુન્હાહિત બેદ૨કારી સબબ આઈ.પી.સી.-304 હેઠળ આ અંગેની સજા તેમજ વળતર ચુકવવાની જવાબદારી જે તે ઢોર માલિકોની રહે છે.
આથી જામનગર શહેરના લોકોના આરોગ્ય, વ્યવસ્થા અને સલામતિ ખાતર હું વિજય ખરાડી, મ્યુનિસીપલ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા, અમોને ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમ-1949 અન્વયે મળેલ સતા અને અધિકારની રૂએ ઉપરોકત કાયદાની કલમ-53 અન્વયેના નિયમોની અનુસૂચિ-ક, પ્રકરણ-14ના નિયમ-22 થી 24 કલમ-396 અન્વયેની જોગવાઈઓ મુજબ ફરમાન કરૂ છું કે, રખડતા ભટકતા ઢોરોને કારણે અકસ્માત થાય અને કોઈ વ્યકિતના જાન-માલને નુકશાન થાય અથવા વ્યકિત મૃત્યુ પામે તેવા સંજોગોમાં આઈ.પી.સી.-304 હેઠળ જે તે ઢોર માલિક ગુન્હાને પાત્ર થતા હોય, ભોગ બનનાર આસામી વ્યકિતને વળતર ચુકવવા સંપૂર્ણ જવાબદારી જે તે ઢોર માલિકની રહેશે. ઉપરાંત જામનગર મહાનગરપાલિકા ધ્વારા આવા ઢોર માલિકો વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવામાં આવશે.
આ હુકમનો ભંગ-ઉલ્લંધન કરનાર ઈસમ સામે ગુજરાત પોવિન્શિયલ મ્યુનિસીપલ કોર્પોરેશન અધિનિયમ-1949 તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 તથા ભારતીય ફોજદારી અધિનિયમ-1860 અન્વયે ”રાજય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવા બાબત” તેમજ ”જાહે૨ ત્રાસદાયક કૃત્ય કરવા માટેની શિક્ષા મુજબ શિક્ષાને પાત્ર થશે.” આ હુકમ જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડશે.