• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, August 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પ્રાકૃતિક કૃષિ, પ્રતિ વર્ષ 400 મણથી વધુ ઉત્પાદન અને રૂપિયા 4.50 લાખથી વધુ આવક મેળવતા યુવા ખેડૂત 

My Samachar by My Samachar
February 11, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
પ્રાકૃતિક કૃષિ, પ્રતિ વર્ષ 400 મણથી વધુ ઉત્પાદન અને રૂપિયા 4.50 લાખથી વધુ આવક મેળવતા યુવા ખેડૂત 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

गावो विश्वस्य मातरः ઋગ્વેદના આ શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ મા ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. કૃષિ એ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે, પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવજાત પર સૌથી મોટા આર્શીવાદ આપ્યા છે.આત્મનિર્ભર કૃષિમાં સહભાગી બનવા આજની આ યુવા પેઢી રોજગારવાંચ્છુની જગ્યાએ રોજગારદાતા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યી છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતા પણ આજના યુવાનો કંપની કે સંસ્થાઓમાં નોકરી કરવા કરતા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યાં છે. આવા યુવાનોના પ્રતિક સમાન એક યુવાન એટલે દેવભૂમિ દ્વારકાના સિધ્ધપુર ગામના વતની દિનેશભાઈ પરમાર…

સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઈ સુવાગીયા સાથે દિનેશભાઈના પિતા લાલજીભાઈની પંદરએક વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત તેમના માટે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા બની જેના પરિણામે વર્ષ 2007થી જ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. Bachelor of Engineering in Mechanical સુધીનો અભ્યાસ કરી અભ્યાસઅર્થે વિવિધ કંપનીઓની વિઝીટ કરતા લાલાજીભાઈના 26 વર્ષીય પુત્ર દિનેશભાઈને પણ મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને તેમને माता भूमि, गोस्तु मात्रा न विदयते ! ને જીવન મંત્ર સ્વરૂપે સ્વીકારી પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવા કૃષિ અધ્યાયનો પ્રારંભ કર્યો…

પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી 10 વિઘા જમીનમાં રાજ્ય સરકારના આત્મા અને બાગાયત વિભાગની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી 5 ગાયો અને મંડપ ઉપર વેલાવાળા શાકભાજી તથા સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ 2017 માં જ આરંભ્યો પ્રાકૃતિક કૃષિ યજ્ઞ… દિનેશભાઈ જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, અજમો, રાય, તલ, મગ, કલોંજી, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપરાંત દોઢ-બે કિ.ગ્રા. ગોળ અને તેટલો જ કઠોળના લોટ તથા દસએક કડવી વનસ્પિતના પાવડરનો ઉપયોગ કરી જંતુનાશક દ્રાવણ બનાવી તેને પીયત સાથે મિશ્રણ કરે છે, જેના પરિણામે પાક રોગનો ભોગ બનતો નથી અને પાકમાં જીવાત પણ પડતી નથી. આમ વર્ષ 2017 થી તેઓ સતત વાર્ષિક રૂપિયા 4  લાખથી વધુની આવક મેળવે છે, અને અત્યાર સુધીમાં તેમને પ્રાકૃતિક ખેતી અપનાવી છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા 60 લાખથી વધુની આવક મેળવી છે.

ચાલુ વર્ષે દિનેશભાઈ 200 મણથી વધારે મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાંલમાં તેમના ખેતરમાં 3 વિઘા જમીનમાં ચણા, 3 વિઘામાં કલોંજી અને ૩ વિઘામાં અજમો અને એકાદ વિઘા જમીનમાં તેમણે સુર્યમૂખી અને રાયનું વાવેતર પણ કરેલું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી તેઓ વિઘાદીઠ અંદાજીત 20 મણથી વધારે ચણા, 36 થી વધારે કલોંજી અને 30 મણથી વધારે અજમાનું ઉત્પાદન મળીને કુલ 400 મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને રૂપિયા 4.50 લાખથી વધુની વાર્ષિક આવક મેળવશે જ્યારે ચાલુ વર્ષે તેમને ખેતી પાછળ અંદાજીત એકાદ લાખ જેટલો ખર્ચ થયેલ છે.

આ અંગે દિનેશભાઈએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી 75% ઉત્પાદીત મગફળીનું સિંગતેલ, 20% મગફળીના સિંગદાણાના પેકેટ અને 5% મગફળીમાંથી પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, અજમો અને રાયના પેકેટ બનાવી પોતાના નિશ્ચિત ગ્રાહકોને પોતાના ભાવે હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી.

દેશના ધરતીપુત્રોને સંદેશો આપતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ભારતીય કૃષિને વાતાવરણની સંભવિત પ્રતિકુળ પરિસ્થિતિથી બચાવવા માંગતા હોઈએ તો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે…કૃત્રિમ રાસાયણિક ખાતર અને દવાઓની ઉપયોગીતામાંથી બહાર આવી પ્રાકૃતિક ઢબે ખેતી અપનાવી કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નાવિન્યતા લાવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી અન્ય ખેડુતોને પણ પ્રેરણા આપનાર દેવભૂમિના આ યુવાન ખેડુત દિનેશભાઈના પિતા લાલજીભાઈને વર્ષ 2007, વર્ષ 2008અને વર્ષ 2013 માં જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડ, વર્ષ 2011 માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સીનું પ્રમાણપત્ર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એનીમલ હસબન્ડ્રી, ઈનોવેશન ફાર્મર એવોર્ડ-2011 અને કૃષિ મહોત્સવ 2015માં રાજ્યકક્ષાનો એવોર્ડ તથા વર્ષ 2014/15માં રાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આમ, નહીવત ખર્ચે બમણી આવક મેળવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર કૃષિ થકી આગળ વધી રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

વડાપાઉંનો ધંધાર્થી એવો તો વ્યાજના ચક્કરમાં ફસાયો કે ફસાતો જ ગયો….

શિક્ષકદિન : ફાળો મેળવવા ઉદ્યોગપતિઓ પાસે જવાનો ‘વિવાદ’ શું છે ?

August 28, 2025
જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

મહાનગરોના પુલો પર હવે સતત ‘નજર’ રાખવામાં આવશે…

August 28, 2025
ખંભાળિયા: સરળતાથી લોનની લાલચ આપીને છેતરપીંડી કરવા સબબ પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયા: સરળતાથી લોનની લાલચ આપીને છેતરપીંડી કરવા સબબ પાંચ શખ્સો ઝડપાયા

August 28, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

અગમચેતી : દુર્ઘટનાઓ ટાળવા જામનગર સહિતની મહાનગરપાલિકાઓ સજ્જ…

August 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વડાપાઉંનો ધંધાર્થી એવો તો વ્યાજના ચક્કરમાં ફસાયો કે ફસાતો જ ગયો….

શિક્ષકદિન : ફાળો મેળવવા ઉદ્યોગપતિઓ પાસે જવાનો ‘વિવાદ’ શું છે ?

August 28, 2025
જામનગરના 27 પુલ પૈકી 20 પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી : રિપોર્ટ જાહેર

મહાનગરોના પુલો પર હવે સતત ‘નજર’ રાખવામાં આવશે…

August 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®