Mysamachar.in- જામનગર:
જામનગરમાં ‘જાડા’ હસ્તકનો ઝોનફેર મામલો, વધુ એક વખત ગાજયા બાદ હવે આ મામલા પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ- એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ થઇ છે. આ પત્રની નકલ ‘જાડા’ તથા જામનગર મહાનગરપાલિકાને પણ આપવામાં આવી છે. જામનગરના અરજદાર નીતિન માડમએ CMને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘જાડા’ હસ્તક વિકાસનકશા બનતા હોય છે. આ રીતે ઝોનફેરની ગતિવિધિઓને કારણે એવું સાબિત થતું હોય છે કે, વિકાસનકશા બનાવતી વખતે કચાશ તો રહી નથી જતી ને ? કનસુમરા નજીકની આશરે 120 વીઘા જેટલી જમીનનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને, આ ઝોનફેર મામલા પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ એમ માંગ કરવામાં આવી છે.