• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, December 22, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

માનવસર્જિત દુર્ઘટનાઓ સંબંધે હવે કાયદામાં સુધારો થશે…

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ સાથે બેઠક અને ચર્ચાઓ કરી...

My Samachar by My Samachar
May 28, 2024
in ગાંધીનગર, ગુજરાત
Reading Time: 1 min read
A A
મુખ્યમંત્રીના આ આદેશનું પાલન થશે કે ઉલાળિયો  ?! 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગાંધીનગર:

દર વખતે એવું જોવા મળે છે કે, ક્યાંક નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી અથવા ક્યાંક બેદરકારીઓ દાખવવામાં આવે છે, જેને પરિણામે એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને આવા કિસ્સાઓમાં તપાસો અને રિપોર્ટ પછી પણ અમુક કસૂરવારો સજામાંથી યેનકેન પ્રકારે બચી જતાં હોય છે જેને કારણે સરકાર પ્રત્યે લોકોમાં ઘેરી નારાજગીઓ છે. આ સ્થિતિ બદલાવવા હવે કાયદામાં સુધારાઓ કરવામાં આવશે, એવી હિલચાલ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી હવે દેખાઈ રહી છે.

ગત્ શનિવારે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તે પછી સમગ્ર રાજ્યમાં લોકોમાં આક્રોશ મોટાં પ્રમાણમાં છે. સરકાર અને સ્થાનિક તંત્રોની રહીસહી આબરૂ ભરબજારે રગદોળાઈ ચૂકી છે. નેતાઓ અધિકારીઓ પર કોઈ જ નિયંત્રણ ધરાવતાં નથી, એ વધુ એક વખત ઉઘાડું થઈ ગયું. અથવા, નેતાઓ અધિકારીઓ પાસે યોગ્ય રીતે કામ લઈ શકતા નથી અથવા નેતાઓ ખુદ પણ અધિકારીઓ માફક તોરમાં રાચી રહ્યા છે, આ બધી જ બાબતો ઉઘાડી પડી જતાં જનાક્રોશ ચરમસીમાએ છે.

લોકોમાં રહેલો આ પ્રચંડ રોષ અને વડી અદાલત તરફથી સરકારને ખેંચવામાં આવેલાં કાનૂની ફડાકાઓને કારણે સરકારના કાનમાં તમરાં બોલી ગયા છે. આખરે સરકારે મન બનાવી લીધું કે, હવે તો કાયદો કડક બનાવવો જ પડશે. કાલે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક યોજી. જરૂરી ચર્ચાઓ કરી. એમ માનવામાં આવે છે કે, હવે માનવસર્જિત દુર્ઘટનાઓ સંબંધે કસૂરવારો વિરુદ્ધ કડક હાથે કામ લેવા સંબંધિત કાયદામાં આવશ્યક સુધારાઓ કરવામાં આવશે.

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના, વડોદરાનો હરણી બોટકાંડ અને છેલ્લે રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ– ઉપરાઉપરી આ બધી દુર્ઘટનાઓ એટલી ભયાનક રહી કે, હવે લોકોનો પ્રકોપ સાતમા આસમાને છે. સરકાર હવે આ અંગેના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. સજાની જોગવાઈ કડક કરવામાં આવશે. અને, આવા મામલાઓમાં દર વખતે ઉચ્ચ અધિકારીઓ કોઈને કોઈ કારણસર બચી જતાં હોય છે, જેથી લોકોમાં ભારે નારાજગીઓ છે. આમ લોકોની નારાજગીઓથી બચવા હવે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પર પણ ફોક્સ થશે. તેઓને પણ કાયદાની જોગવાઈઓ અંદર આવરી લેવામાં આવશે.

કાયદામાં એવા પ્રકારનો સુધારો આવી શકે છે કે, કોઈ દુર્ઘટના બેદરકારીઓને કારણે અથવા નિયમ પાલનની નબળાઈને કારણે સર્જાઈ હોય એવા સંજોગોમાં જો ઉચ્ચ અધિકારી કસૂરવાર જણાઈ આવે તો તેના વિરુદ્ધ માત્ર શિક્ષાત્મક પગલાંઓ જ નહીં, તેમની સામે ફોજદારી કાર્યવાહીઓ પણ કરી શકવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.

ગુજરાત સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ-2016માં સુધારાઓ કરશે. જેમાં આગ સહિતની વિવિધ દુર્ઘટનાઓનો સમાવેશ કરી લેવામાં આવશે, જેમાં બેદરકારીઓ મુખ્ય રીતે કારણભૂત હોય. મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ રાજકુમાર વચ્ચે ગાંધીનગરમાં સોમવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનો અહેવાલ છે.

આગામી ચોમાસુ સત્ર સુધીમાં આ માટેનું સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરાવવા સરકાર તૈયારીઓ કરશે. આ માટે સરકાર કાનૂની અને વૈધાનિક માર્ગદર્શન મેળવશે. આ સુધારાઓ એટલાં માટે જરૂરી છે કે, હૈયાત કાયદાઓ છતાં આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ બનતી રહે છે, બેદરકારો અને કસૂરવારો પર કાયદાનો ખૌફ જોવા નથી મળતો. આથી જોગવાઈઓ કડક અને વ્યાપક બનાવવામાં આવશે. સૌ એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, કોઈ પણ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી ગમે તે પદ પર હોય, કાયદાનો સકંજો એમના સુધી પહોંચવો જોઈએ. તમામ પ્રકારની બેદરકારીઓ માટે કોઈ ને કોઈ સત્તાવાળાને જવાબદાર લેખવા જોઈએ, તો જ તેઓ નિયમપાલન કરાવવા પ્રેરાશે અને બેદરકારીઓ ટળવાથી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ટ્રિપિંગથી વીજકાપ: નિવારણ માટે રૂ. 860 કરોડની યોજના

વીજળી ગૂલ થાય તો, ફરિયાદ કર્યા વગર જ, વીજળી પરત આવી જશે  !

December 20, 2025
મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

જામનગર : આ કિસ્સામાં લાંચ લીધી ન હતી પણ, લાંચ માંગી તો હતી જ…

December 20, 2025
જામનગર : 1,29,128  મતદારોનું મેપિંગ થઈ શક્યું નહીં…

જામનગર : 1,29,128  મતદારોનું મેપિંગ થઈ શક્યું નહીં…

December 20, 2025
સરકારે નાની હોસ્પિટલો અંગે વડી અદાલતમાં કહ્યું કે….

ખાનગી હોસ્પિટલોની મનમાની પર રોક : બધાં જ ‘ભાવ’ સ્ટાન્ડર્ડ…

December 19, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ટ્રિપિંગથી વીજકાપ: નિવારણ માટે રૂ. 860 કરોડની યોજના

વીજળી ગૂલ થાય તો, ફરિયાદ કર્યા વગર જ, વીજળી પરત આવી જશે  !

December 20, 2025
મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

જામનગર : આ કિસ્સામાં લાંચ લીધી ન હતી પણ, લાંચ માંગી તો હતી જ…

December 20, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®