• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરનું નદી-તળાવનું પ્રદૂષણ : કયાંય, કોઈને ચિંતાઓ નહીં !!

ઉદ્યોગોનું કાતિલ ઝેર ભૂગર્ભજળ મારફતે લાખો નગરજનોના આંતરડા-લોહીમાં !!  

My Samachar by My Samachar
July 23, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગરનું નદી-તળાવનું પ્રદૂષણ : કયાંય, કોઈને ચિંતાઓ નહીં !!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરમાં રંગમતી-નાગમતી નદીના પાણીમાં તથા શહેરની મધ્યમાં આવેલાં તળાવના પાણીમાં અતિ જોખમી રીતે પ્રદૂષણના રૂપમાં ‘ઝેર’ ભળી રહ્યું છે. અચરજ અને અફસોસની બાબત એ છે કે, આ ઝેર અંગે કયાંય, કોઈને, કશી ચિંતાઓ નથી. જામનગરની નદીમાં ચોમાસા દરમ્યાન અને સામાન્ય દિવસોમાં પણ દરેડના અસંખ્ય ઉદ્યોગોનું ઝેરી પાણી ઠલવાતું રહે છે. તાજેતરમાં વરસાદના દિવસો દરમ્યાન આ પાણી પૈકી અમુક જથ્થો નગરના તળાવમાં ઠાલવવામાં આવ્યો છે. આ સ્થિતિઓને કારણે નદીના અને તળાવમાં ‘ઝેર’ ભળી ગયું છે. નદીના કાંઠા વિસ્તારોમાં મોરકંડાથી માંડીને ગાંધીનગર સુધીના સેંકડો વિસ્તારોમાં બેથી અઢી લાખ નગરજનો વસવાટ કરે છે, આ ઉપરાંત તળાવની આસપાસની પેરીફેરીમાં પણ હજારો લોકો વસવાટ કરી રહ્યા છે.

નદીકાંઠાના અને તળાવ આસપાસના આ લાખો નગરજનો બોર, કૂવા અને ડંકીઓ ધરાવે છે, આ ભૂગર્ભજળનો ઉપયોગ વપરાશના પાણી તરીકે તેમજ પીવાના પાણી તરીકે થાય છે. આ ઉપરાંત આ બધાં જ વિસ્તારોમાં પીવાના પાણીનો વ્યવસાય કરતાં હોય એવા પણ અનેક લોકો છે, જે જમીનમાંનું પાણી લૂઝમાં અને પેકિંગમાં વેચાણ કરે છે. આ બધું જ લાખો લિટર પાણી રોજેરોજ લાખો નગરજનોના આંતરડામાં ભળે છે. આ ‘ઝેર’ને કારણે હજારો લોકો ચામડીના રોગો અને પથરી સહિતના કીડનીના રોગો ઉપરાંત આંતરડાના રોગો સહિત અન્ય કેટલાંયે રોગોનો ભોગ બનતાં હોવાની સંભાવનાઓ છે. આ અંગે કયારેય પધ્ધતિસરનો અભ્યાસ કે સર્વે થયો નથી. જો આ અભ્યાસ થાય તો અસંખ્ય પ્રકારની પાણીજન્ય બિમારીઓ અને આવી બિમારીઓને કારણે થયેલાં અથવા થતાં મોતનો આંકડો પણ બહાર આવવાની પણ શકયતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

-જામનગરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા હંમેશા શંકાના દાયરામાં શા માટે રહે છે ?!…

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી આવેલી છે. આ કચેરીનું ગાંધીનગર ‘ખસીકરણ’ કરી નાંખવામાં આવ્યું હોય તેમ અહીં કયારેય, કોઈ ભારાડી અધિકારીને મૂકવામાં આવતાં નથી. આ કચેરી લાંબી લાંબી અને બેમતલબ વાતો કરવામાં પાવરધી અને પરિણામલક્ષી કામગીરીઓ કરવામાં ઝીરો હોવાની છાપ અમસ્તી જ ઉભી નથી થઈ.

ચોમાસામાં વહેતાં પાણીમાં જૈવિક કચરો હોય જ, અનેક જાતના બેકટેરિયા પણ હોય, આ કોઈ નવી વાત નથી. આ બાબત સૌ જાણે છે જ, છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ ચીલાચાલુ વિગતો જાહેર કરીને કોઈ મોટું સંશોધન કે પરાક્રમ કર્યું હોય તે રીતે, આ બાબતની વધામણી ખાવામાં આવી રહી છે. નદી અને તળાવના પાણીમાં પુષ્કળ ફીણ છે અને અસંખ્ય ઉદ્યોગોનું ઝેરી પાણી પણ નદી અને તળાવમાં ઠલવાઈ રહ્યું છે, આમ છતાં આ ઔદ્યોગિક પ્રદૂષણની વાત છૂપાવવા માટે જૈવિક પ્રદૂષણની બૂમો પાડવામાં આવી રહી છે.

ગુજરાતભરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેવી રીતે કામ કરે છે તેનો એક નમૂનો: જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં પ્રદૂષણ મામલે જામનગરના 19 એકમોને કલોઝર નોટિસ આપવામાં આવેલી, અન્ય 34 ઔદ્યોગિક એકમોને ચેતવણી આપતી નોટિસ આપવામાં આવેલી. ત્યારબાદ શું થયું ? જામનગરમાં પ્રદૂષણ બાબતે કેટલાં ઔદ્યોગિક એકમો બંધ કરાવવામાં આવ્યા ? તે વિગતો સરકાર ઓનલાઈન મૂકે છે પણ એવી રીતે જાહેર કરવામાં આવે કે, માત્ર GPCB અધિકારીઓ જ આ વિગતો જોઈ શકે અને આ અધિકારીઓ આ વિગતો કયારેય જાહેર કરતાં નથી. ટૂંકમાં, સરકાર પ્રદૂષણ નિયંત્રણ મામલે ગંભીર છે કે નહીં, એ વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. GPCBના કર્મચારીઓ દોરડું અને ડબલાં વડે પાણીના નમૂનાઓ લઈ રહ્યા હોય એવી ફાલતૂ વિગતો જ બોર્ડ અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે !

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગર શહેરમાં ‘સ્વાગત’ અને ‘વિદાય’ ટાણે…કચરાના ડુંગરો..!!

July 23, 2025
જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

જામનગરના રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે, પણ…

July 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®