• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, November 22, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

તમારા ઘરે ટેક્સની ઉઘરાણી કરવા આવનાર મનપા Railway, Post Office, અને BSNL પાસેથી માંગે છે આટલા કરોડ…

My Samachar by My Samachar
February 11, 2020
in જામનગર
Reading Time: 1 min read
A A
તમારા ઘરે ટેક્સની ઉઘરાણી કરવા આવનાર મનપા Railway, Post Office, અને BSNL પાસેથી માંગે છે આટલા કરોડ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા માટે સ્વભંડોળની આવકનો સૌથી મોટો સ્ત્રોત ટેક્સની આવક છે, તેમાં મુખ્ય ટેક્સ પાણીવેરો અને મિલકતવેરો છે, પણ ટેક્સની વસુલાતને લઈને મનપા લાખ પ્રયાસો કરે છે છતાં પણ જોઈતી સફળતા મળતી નથી, અને તિજોરી તળિયાઝાટક જ રહે છે, વર્ષોથી પાણીવેરો અને મિલકતવેરોના  ભરનાર આસામીઓની સંખ્યા હજારોમાં છે, અને મનપાએ ૨૦૦ કરોડથી વધુનો તો મિલકતવેરો જ નીકળે છે, જેમાં સરકારી કચેરીઓ રેલ્વે, પોસ્ટઓફિસ અને બીએસએનએલ ના કરોડોની બાકી વર્ષોથી છે, તે વસુલવાને બદલે મનપા સામાન્ય બાકીદારોની મિલકતો સીલ કરી અને શૂરવીરતા નું ઉદાહરણ પૂરું પાડે છે, 

જામનગર મહાનગરપાલિકા ૧૨૪ કિલોમીટરનો વિસ્તાર અને સાત લાખ ઉપરાંતની વસ્તી ધરાવાતા આ શહેરને મહાનગરપાલિકાનો દરરજો મળ્યા બાદ છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાશન આ મનપા પર છે, અને કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ચલાવવા માટે સ્વ-ભંડોળની આવક મુખ્ય સ્ત્રોત હોય છે, જામનગર મનપા પાસે પણ પાણીવેરો, મિલકત વેરો અને ટાઉનપ્લાનિંગ વિભાગ સહિતની આવકમાંથી ગાડું ગબડે છે, પણ વર્ષો થયા મનપાને ૨૧૬ કરોડ મિલકતવેરાના અને ૧૧૦ કરોડ પાણીવેરા પેટેની વસુલાત બાકી છે,

જામનગર મહાનગરપાલિકાની પહેલા હદ ૨૪ કિલોમીટરની હતી પણ ૨૦૧૩માં હદમાં વધારો થયો અને આસપાસના વિસ્તારો મનપામાં ભળી જતા મનપાનો વિસ્તાર ૧૨૪ કિલોમીટરનો થયો છે, તેથી નવા ભળેલા વિસ્તારોની ૮૨૦૦૦ મિલકતોને વર્ષ ૨૦૧૮માં ૧૧૦ કરોડ રૂપિયાના પાણી વેરા અને મિલકત વેરાના બિલોની બજવણી કરવામાં આવી છે,  પણ વેરો ભરવા સ્થાનિકો આગળ આવતા નથી, તો મનપા શહેરમાં આવેલ કેન્દ્ર સરકાર હસ્તકની ત્રણ કચેરીઓ બીએસએનએલ પાસેથી વર્ષ ૨૦૦૬ થી ૨.૩૭ કરોડ, રેલ્વે પાસેથી વર્ષ ૧૯૮૯ થી ૫૬ કરોડ અને પોસ્ટઓફીસ પાસેથી વર્ષ ૨૦૧૪ થી ૮૮ લાખ માત્ર મિલકતવેરા પેટે માંગે છે, જેની વસુલાત માટે માત્ર મીટીંગો અને નોટીસો જ આપી સંતોષ માની લેવામાં આવતો હોય તેમ લાગે છે, વર્ષોથી લંબાઈને આવતા આંકડાઓને જોતા લાગે છે.

-આજ દીવસ સુધીની આટલી બાકી સામે ટીમો છે પુરતી.?
જામનગર મનપાને હાલે એટલે કે આજ દિવસ સુધીમાં ૨૧૬ કરોડ રૂપિયા મિલકત વેરા પેટે જયારે ૧૧૦ કરોડ રૂપિયા પાણી વેરા પેટે શહેરીજનો પાસે થી લેણાના નીકળે છે, જેમાં આ સરકારી કચેરીઓનો સમાવેશ પણ થઇ જાય છે, ત્યારે તાજેતરમાં જ એટલે કે જાન્યુઆરી 2020માં બાકી વેરાની ઉઘરાણી માટે મિલકતવેરા શાખા દ્વારા ૧૨ કર્મચારીઓની ૩ ટીમો બનાવ્વવામાં આવી છે, જે મિલકત અને પાણીવેરાની ઉઘરાણી કરે છે, અને વેરા ભરપાઈ ના કરે તેની મિલકતો સીલ કરવાની કાર્યવાહી સામે સ્થાનિકો અને મનપાના વિપક્ષનું કહેવું છે કે નાની વસુલાત માટે સીલીંગની કાર્યવાહી અને સરકારી મિલકતો ના કરોડો બાકી છે તેને થાબણભાણા કેમ…

 -વર્ષ ૨૦૧૮થી૨૦ મનપાને થઇ આટલી આવક,કરદાતાઓ પણ આગળ આવે તે જરૂરી
વર્ષ ૨૦૧૯/૨૦માં મનપાને ૪૭.૩૭ કરોડની ટેક્સની આવક થઇ છે,જયારે વર્ષ ૧૮/૧૯માં ૬૨ કરોડની આવક થઇ છે, બે માસમાં મનપાની ટીમો દ્વારા કુલ ૧૪૨ આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી છે, તો વર્ષ ૧૯/૨૦માં ૧૦૭૭ આસામીઓએ ૫.૭૩ કરોડની વ્યાજમાફી યોજનાનો લાભ લીધા નું પણ સામે આવે છે, પણ મનપાની ટીમે રાજકોટ મનપાની ટીમની જેમ ધોકો પછાડીને બાકી દારો સામે કડક થવાની જરૂરિયાત હોય તેમ એટલા માટે લાગે છે, કારણ કે મનપાની સ્થિતિ એક તો કંગાળ છે, અને તેવામાં વેરાની વસુલાત ના થાય તો કર્મચારીઓના પગાર અને વિકાસ કામો પર તેની સીધી જ અસરો ભૂતકાળમાં પણ જોવા મળી છે, ત્યારે શહેરીજનો એ પણ પોતાની નૈતિક ફરજ સમજીને ટેક્સ ભરવા માટે સ્વયમ આગળ તે પણ એટલું જ જરૂરી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

November 21, 2025
જામનગરમાં મોટો ‘વીજ’આંચકો : અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું !!!

જામનગર : દુષ્કર્મનો હાઈ પ્રોફાઇલ કેસ : તપાસ ‘ખાનગી’ !!

November 21, 2025
શરણાઈ ગૂંજી ઉઠે એ પહેલાં તો, આખા પરિવારના મોતની કાળી ચીસો..!!

શરણાઈ ગૂંજી ઉઠે એ પહેલાં તો, આખા પરિવારના મોતની કાળી ચીસો..!!

November 21, 2025
હવે ફાઈનલ : CM સોમવારે જામનગરમાં…

હવે ફાઈનલ : CM સોમવારે જામનગરમાં…

November 21, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

November 21, 2025
જામનગરમાં મોટો ‘વીજ’આંચકો : અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું !!!

જામનગર : દુષ્કર્મનો હાઈ પ્રોફાઇલ કેસ : તપાસ ‘ખાનગી’ !!

November 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®