Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ જામનગર શહેરમાં આવતા પ્રરપ્રાંતીય મજુરોની હીલચાલ પર નજર રાખવા બાબતે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સુચના મુજબ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે મધ્યપ્રદેશ જીલ્લાના ભીંડ જીલ્લાના સુરપુરા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડર કેશમાં છેલ્લા પાંચ વર્ષથી મધ્યપ્રદેશ પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી અજયપાલસિંહ રાજુસિંહ ભદૌરીયા હાલ સુનીલ નામ ધારણ કરીને મજુરના વેશમાં જામનગર શહેરમાં આવેલ છે અને તે હાલ પંચવટી કોલોનીમાં ઉભેલ છે જે હકીકત આધારે આરોપી અજયપાલસિંહ ઉર્ફે સુનીલ રાજુસિંહ ભદોરીયા રહે, મુળ ચીલ્લોગા પોસ્ટ બીજોરા તા. અટેર થાના સુરપુરા જી. ભીંડ (એમ.પી.) વાળો હોવાનુ જણાવેલ. મજકુરની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ભીંડ જીલ્લાના સુરપુરા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડર કેશમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોવાનુ જણાવતા મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે તથા પીએસઆઈ સી.એમ કાંટેલીયાના માર્ગદર્શનમાં સ્ટાફના રવીરાજસિંહ જાડેજા, મુકેશસીહ રાણા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દેવસુરભાઇ સાગઠીયા તથા દેવેનભાઇ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.