• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની 225 મી જન્મ જયંતિના કાર્યક્રમો નક્કી

આ વખતે એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાનમાં કાર્યક્રમો

My Samachar by My Samachar
October 29, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની 225 મી જન્મ જયંતિના કાર્યક્રમો નક્કી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-

છોટીકાશી જામનગરમાં ૫.પૂ.જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતિ ઉજવવા રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય આયોજન ઘડાઈ ચુક્યું છે, આગામી વિક્રમ સવંત 2081 કારતક સુદ-7 ને શુક્રવાર, તા.08-11-2024 ના રોજ પૂ.જલારામ બાપાની ૨૨૫ મી જન્મજયંતિનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની 26 મી નાત (સમૂહ ભોજન)ના પ્રસંગને ધામધુમથી ઉજવવા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

છોટી કાશી જામનગર વિક્રમ સવંત 2056 (સને 1999) (પૂ.જલારામબાપાની 200 મી જન્મ જયંતિ) થી શરૂ કરાયેલ સમૂહ જ્ઞાતિભોજનનો આ અવિરત સેવાયજ્ઞ 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ હોય ત્યારે આ વર્ષે પણ જલારામ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.

જલારામ જયંતિની ઉજવણી અંતર્ગત તા.7-11-2024 ને ગુરૂવારના રોજ સાંજે 6:00 કલાકે ” જલારામનગર”, એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર ખાતે રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન યોજવામાં આવેલ છે. શ્રી જલારામ જયંતિના દિવસે એટલે તા.08/11/2024 ને શુક્રવારના રોજ સવારે 7:30 કલાકે જામનગર પાંજરાપોળ (લીમડાલાઈન) ની ગૌશાળામાં ગાય માતાને ધાસ, લાડું આરોગવાનો કાર્યક્રમ તેમજ આજ દિવસે જ્ઞાતિભોજન પૂર્વે સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતીનો ભોજન સમારોહ (માસ્તાન) સવારે 10:00 થી 11:00 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. ત્યારબાદ શહેરમાં પ્રસાદ વિતરણ માટે “જલારામ રથ” નું પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારબાદ સમસ્ત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) બપોરના 11:00 થી 2:30 વાગ્યા દરમ્યાન રાખવામાં આવેલ છે.

વિશેષમાં થેલેસેમિયા બાબતે જાગૃતિ લાવવા માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન ડો.દિપકભાઈ ભગદેના માર્ગદર્શન હેઠળ રઘુવંશી ડોકટરોની ટીમ દ્વારા ભોજન સમારંભના સ્થળ પર જ્ઞાતિ ભોજનના સમય દરમ્યાન પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં ;આવેલ છે.જલારામ જયંતિના દિવસે જલારામ મંદિર હાપા અને જલારામ મંદિર સાધના કોલોની ખાતે સાંજે 7:00 કલાકે મહાઆરતી તથા પ્રસાદ રાખવામાં આવેલ છે.

શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કર્મઠ સદસ્યોએ અવિરત 25 વર્ષ સુધી જ્ઞાતિ સમૂહ ભોજનના આ સેવાયજ્ઞનું આયોજન કરેલ જેમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્નાએ આ વર્ષે સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરેલ અને સમાજને નવયુવાનોની ટીમ સુપ્રત કરેલ છે જેથી આ ટીમ હવે સ્થાપક સદસ્યો તરીકે ફરજ બજાવશે.

ઉપરોકત તમામ કાર્યક્રમોની સફળતા પૂર્વક ઉજવણી માટે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નવયુવાન સદસ્યો સર્વે સૌરભ ડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયાના નેજા હેઠળ બહોળી સંખ્યામાં યુવાન કાર્યકર ભાઈઓ – બહેનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

July 9, 2025
જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

July 9, 2025
BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

જામનગરના ધ્રોલ BJPમાં અકળામણ : વોટ્સએપ ચેટ વાયરલ થતાં ચકચાર…

July 9, 2025
સવારમાં દુર્ઘટના : બ્રિજના 2 કટકા, 3 મોત, વાહનો નદીમાં ઢોળાયા…

સવારમાં દુર્ઘટના : બ્રિજના 2 કટકા, 3 મોત, વાહનો નદીમાં ઢોળાયા…

July 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

લાલપુર બાયપાસ સિક્સલેન બ્રિજ માર્ચ-26 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક

July 9, 2025
જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

જામનગરથી દ્વારકા અને ઓખા સુધી ક્રૂઝમાં જઈ શકશો…

July 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®