mysamachar.in-જામનગર:
વિધાનસભાની ચુંટણીઓ સમયે કોંગ્રેસથી કંટાળી ને ભાજપમાં જોડાયેલા જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય હકુભા જાડેજા તેમના વિસ્તારના મતદારો ઉપરાંત સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ધરાવે છે,ત્યારે સુચક રીતે જ હકુભા જાડેજા ના તાલુકા મથકો પર રેલી અને સ્નેહમિલનના યોજાઈ રહેલા કાર્યક્રમો શક્તિ પ્રદર્શન થી કમ નથી,
થોડા દિવસો પૂર્વે જ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાલીયા ખાતે રાજપૂત સમાજ દ્વારા ધારાસભ્ય હકુભા જાડેજા નું સન્માન,રેલી અને સ્નેહમિલન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો,જેમાં વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા અને હકુભાનું સન્માન કર્યું હતું,
તેવું જ ચિત્ર આજે ફરી જામનગર જીલ્લાના કાલાવડ ખાતે જોવા મળ્યું જ્યાં પણ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સન્માન,સ્નેહમિલન,અને રેલીના કાર્યક્રમમા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા,જેનું હકુભા એ ખુલ્લી જીપમાં કલાકો સુધી લોકોનું અભિવાદન જીલ્યું હતું,
આમ આ બને તાલુકાઓમાં તાજેતરમા જ આયોજિત કાર્યક્રમોમા હકુભા જાડેજા નું જબરું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું.