• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 26, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

15 થી 18 વર્ષના બાળકોમાં 72.47 ટકા રસીકરણ સાથે  દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ

My Samachar by My Samachar
January 10, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
15 થી 18 વર્ષના બાળકોમાં 72.47 ટકા રસીકરણ સાથે  દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

કૃષ્ણની ભૂમિ દ્વારકા…આ ભૂમિ પર અનાદીકાળ પહેલા જ્યારે પણ સંકટ આવ્યું છે ત્યારે ગોવર્ધન પર્વત ઊંચકીને પણ લોકોના દુખડા હર્યા છે. આ યુગમાં ૨૧મી સદીમાં કોરોના વાયરસ રૂપી આ સંકટ આવ્યું છે, ત્યારે “કોરોના” નામક વૈશ્વિક મહામારી સામે પ્રજાજનોને કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્રના અધિકારી કર્મચારીઓએ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સતત સંનિષ્ઠતાથી કાર્ય કર્યું છે. ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ આવ્યો ત્યારથી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર પોતાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર દરવાજે દસ્તક દહીં રહી છે તેવા સમયે પણ લોકોને કોરોનાના સંભવિત સંકટ સામે રક્ષણ પુરૂ પાડવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.

કોરોના વાયરસની આ વૈશ્વિક મહામારી સમયે નાગરીકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે પણ રાજયમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું અટકે અને સમગ્ર ગુજરાત નોવેલ કોરોના કોવિડ 19 વાયરસથી મુક્ત બને તે માટે કટીબધ્ધ બની કાર્ય કરી તે માટેના કડક પગલાઓ ભર્યા છે અને રસીકરણ ઝૂંબેશ અંતર્ગત લોકોને કોરોના સામે રક્ષાકવચ પુરુ પાડવાનું આ ગોવર્ધન જેવું વિશાળ કાર્ય આરંભ્યું છે.કોરોના વાયરસના ઉદ્ભવથી આજદીન સુધીમાં લગભગ બે વર્ષના સમયગાળામાં આ વાયરસ સબંધિત વિવિધ માહિતી ઉપલબ્ધ બની હોવાથી કોવિડની ત્રીજી લહેરનો સામનો કરવા જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો કોરોના વાયરસની પ્રથમ લહેરની શરૂઆતથી તારીખ 9 જાન્યુઆરી, 2022 સુધીમાં કુલ ૨.૪૫ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરીકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે.

જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કાર્યરત કુલ 300 જેટલી ડોકટર્સ અને પેરામેડીકલની ટીમ જિલ્લાવાસીઓના આરોગ્યની સેવા માટે ખડેપગે કાર્ય કરી રહી છે. જિલ્લામાં કુલ 550 આશાવર્કર, 40 મેડીકલ ઓફીસર, 84 નર્સ, 370 પેરા મેડીકલ સ્ટાફ, 35 લેબ ટેકનીશ્યન અને 860 સ્વયંસેવકોને Cisco WebEx  ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોવિડ 19 અન્વયે તાલીમ પણ આપવામાં આવેલ છે.કોરોનાની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે ડેડીકેટેડ કોવિડ જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 300 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, જેમાં 255  બેડ ઓક્સીજન ફેસીલીટી તથા 45 બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન અહીં કુલ 2912 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જે તમામ દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ત્રણ પ્રાઈવેટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં પણ 59 આઈસોલેશન બેડ, 50 ઓક્સીજન ફેસીલીટી બેડ અને 4 બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જિલ્લામાં કુલ9  કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયા છે, જેમાં કુલ 332 આઈસોલેશન બેડ અને 280 ઓક્સીજન ફેસીલીટી બેડની સુવિધા છે.

ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લાના 270 જેટલા ગામોમા કુલ 1401 બેડની વ્યવસ્થા ધરાવતા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ પોઝીટીવ – એસિમ્પટોમેટીક આવેલા કુલ 754 જેટલા દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન પ્રજાજનોને પ્રાણવાયુની ખુટ ન પડે તે માટે જિલ્લામાં જનરલ હોસ્પિટલ (ખંભાળીયા), દ્વારકા, ખંભાળીયા, ભાણવડ અને રાવલ ખાતે 170, 500 અને 1000 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કુલ 7 પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે કુલ મળીને 4.63 મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે મેનીફોલ્ડના માધ્યમથી 18 ઓક્સીજન સીલીન્ડર ચલાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, તેમજ 10,000 લીટરની ક્ષમતા ધરાવતા ઓક્સીજન સ્ટોરેજ ટેંક પણ શરૂ કરવામાં આવી છે.

કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ એ એક રક્ષાકવચ સાબિત થયું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજનબધ્ધ રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈવ વોરીયર્સ, 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરીકોના રસીકરણ બાદ અને હવે 15 થી 18 વર્ષના બાળકોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 101.73 ટકા હેલ્થ કેર વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 99.96  ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15953 ફ્રન્ટ લાઈન વોરીયર્સને 100.68 ટકા સિદ્ધિ સાથે રસીનો પ્રથમ ડોઝ જ્યારે 98.92 ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા જિલ્લાના કુલ 5,77,387 નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 5,06,221 લાખ નાગરીકોને રસીનો બીજો ડોઝ આપીને 97.7 ટકા રસીકરણની કામગીરી કરવામાં આવી છે.શિક્ષણ વિભાગના સંકલનમાં રહી જિલ્લા આરોગ્ય વિભાગે ગણતરીના દિવસોમાં જ ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કુલ ૨૭,૬૧૬ બાળકોના ટીકાકરણની કામગીરી કરી છે, જેમાં ૭૨.૪૭ ટકા રસીકરણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે.

પ્રશાસન દ્વારા જિલ્લાવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ જરૂરીયાતના સમયે તાત્કાલિક મળી રહે તે માટે ૨૯ પ્રાઈવેટ એમ્બ્યુલન્સ, 24 સરકારી એમ્બ્યુલન્સ અને 11 ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સતત ખડપગે ઉપલબ્ધ બનાવાઈ છે, જેમાં 38 એમ્બ્યુલન્સ ઓક્સીજન બોટલની સુવિધાભર છે, જ્યારે બાકીની ૨૬ અન્ય સેવાઓ માટે સતત કાર્યસત રહેશે. આ ઉપરાંત જનરલ હોસ્પિટલ – ખંભાળીયા ખાતે એક RTPCR લેબ પણ કાર્યરત કરાઈ છે, જેમાં દરરોજ અંદાજીત 700 થી 800 ટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે દ્વારકા ખાતે પણ એક RTPCR લેબની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે જિલ્લામાં Compounded Daily Growth Rate 6 ટકાથી ઘટીને 0.03 ટકા પહોંચ્યો છે.લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે 20 જેટલા ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી જિલ્લામાં અત્યાર સુધીમાં 3.34 લાખથી વધુ લોકોનું સ્ક્રીનીંગ અને 4.05 લાખ જેટલા આર્યુવેદિક ઉકાળાના ડોઝ અને 2.30 લાખ જેટલા લોકોને સમશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે તે માટે 4.30 લાખ જેટલી આર્સેનિક આલ્બમ – 30 ટેબ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

આ અંગે  વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. “ડોર ટુ ડોર” સર્વેલન્સની કામગીરી દ્વારા જિલ્લામાં 6,800 થી વધુ સગર્ભા, 1.33 લાખથી વધુ 10 વર્ષથી નાના બાળકો, 58,900થી વધારે ૬૫ વર્ષથી ઉપરના નાગરીકો અને 16 હજારથી વધુ કોમોર્બીડ કંડીશન વાળા બાળકોનું દર મહિને બે-બે વખત સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉકાળા અને આયુર્વેદીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.આમ, કોરોનાની દહેશત વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વહિવટી વડા અને કલેક્ટર એમ.એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સબંધિત વિભાગોએ ખભેખભો મિલાવીને પ્રજાકીય સ્વાસ્થ્યની જાળવણીનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ કર્મયોગી અધિકારી-કર્મચારીઓએ રાજ્ય સરકારની સંવેદનશીલતાને સાચા અર્થમાં ઉજાગર કરવાની સાથે તેમનામાં રહેલી ઋજુતાના દર્શન કરાવ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
નોટરીનો દરજજો મેળવવા હવે વકીલોએ આટલું કરવું પડશે…

પોલીસ દ્વારા વકીલને સમન્સ: સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો…

June 26, 2025
જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®