Mysamachar.in-ગાંધીનગર:
વર્ષ 2024માં વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને દેશના તમામ રાજ્યોના ડીજીપી અને આઈજીપીની કોન્ફરન્સ આયોજિત થઈ હતી. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં એવું સૂચન થયેલું કે, શાળાઓ પ્રવાસ આયોજિત કરે તેમાં પોલીસકર્મીઓને પણ સુરક્ષા મુદ્દે જોડવા જોઈએ.
આ સૂચનના પગલે ગુજરાત રાજ્યના પોલીસવડાએ તાજેતરમાં રાજ્યની તમામ શાળાઓને એક પત્રની નકલ મોકલાવી. જેમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કે ખાનગી શાળાઓ દ્વારા પ્રવાસ, ટૂર કે પિકનિક આયોજિત થાય ત્યારે, 2 ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી આ આયોજનમાં ફરજિયાત કરવામાં આવે છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, જો આ ટૂર કે પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ હોય તો, ટૂરમાં મહિલા પોલીસને સાથે રાખવા નિર્દેશ આપવામાં આવે છે. આ કામગીરીઓ માટે શાળાના આચાર્યએ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાનનું પોલીસને આ સૂચન 2024માં જાહેર થયેલું જેની અમલવારી માટેની પ્રોસેસ હવે શરૂ થઈ છે.
