• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હાર્ટએટેક : અચાનક મોતની ‘તબીબી’ તપાસો થતી જ નથી !!

18 થી 45 વર્ષની વયના યુવાનોના મોત શાથી થઈ રહ્યા છે ?! : RTI માં જવાબ અપાયો કે.....

My Samachar by My Samachar
February 5, 2024
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
હાર્ટ એટેકની ઘટનાઓ માત્ર ‘સમાચાર’ જ છે, કે કંઇક બીજું ?! : અભ્યાસ જરૂરી….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-સુરત:

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી નાની વયના અને યુવાન વયના લોકોના સડન ડેથ એટલે કે અચાનક મોત થઈ રહ્યા છે. આ પ્રકારનું પ્રત્યેક મોત, આસપાસની દુનિયામાં ઘેરા શોક અને અચરજની લાગણીઓને જન્મ આપે છે અને મોતસંબંધે તથા ઈવન કોરોના વેકસીન સંબંધે પણ, અનેક પ્રકારની ચર્ચાઓની ઘુમરીઓ પેદાં કરે છે. આ પ્રકારના મોત અંગે મોઢા એટલી વાતો થઈ રહી છે પરંતુ છાતી ઠોકીને બોલવાની સ્થિતિમાં કોઈ નથી, કારણ કે આ આખી બાબતને ગંભીરતાથી હજુ લેવામાં આવી નથી.

થોડા સમય અગાઉ માધ્યમોમાં એવી ચર્ચાઓ ચાલી હતી કે, આ પ્રકારના કમોત સાથે કયાંક ને ક્યાંક વેકસીન સંકળાયેલી હોય શકે છે ! ત્યારબાદ, એકલદોકલ નિષ્ણાંતો આ અંગે માધ્યમોમાં સ્પષ્ટતાઓ કરતાં સંભળાયા. જો કે આવી કથિત સ્પષ્ટતાઓ ખુદ સ્પષ્ટ ન હતી, ગોળગોળ વાતો થતી રહી અને સાથે-સાથે અચાનક મોતના બનાવો આજની તારીખે પણ નોંધાઈ રહ્યા છે જેના તબીબી કારણો સત્તાવાર રીતે જાહેર થતાં નથી, સૌ દબાતાં અવાજે બોલે છે.

બીજી તરફ આ પ્રકારના મોત તથા વેકસીનની વિશ્વસનીયતા સંદર્ભે એકાદ બે મામલા અદાલતોમાં પણ પહોંચેલાં પરંતુ અદાલતે આ પ્રકારની મેડિકલ બાબતમાં ખાસ કોઈ દિલચસ્પી દાખવી ન હતી અને એક રીતે વેકસીનને આડકતરી ક્લીનચિટ પણ આપી દેતાં, ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે એવું દેખાતું હતું. પરંતુ મામલો અહીં પૂરો થયો નથી, કેમ કે યુવાવયના લોકોના સડન ડેથ આજે પણ થઈ રહ્યા છે જ, જે અંગે ગળે ઉતરે તેવો જવાબ લોકોને હજુ મળતો નથી.

થોડાં સમય અગાઉ દેશની મેડિકલ ક્ષેત્રની સૌથી મોટી સંશોધન સંસ્થા ICMR ના વૈજ્ઞાનિકોએ પણ જાહેર કરી દીધું કે, આ પ્રકારના મોતના મામલાઓમાં ક્યાંય વેકસીન જવાબદાર નથી. બીજી તરફ કેન્દ્રીય આરોગ્યમંત્રીએ પણ આ મામલે નિવેદન આપી, આ પ્રકારના મોત સંબંધે ચર્ચાઓ શાંત કરવા પ્રયાસ કર્યો હતો. એ પછી પણ પ્રશ્ન હજુ ત્યાં જ છે, લોકો એકમેકને પૂછે છે: આ પ્રકારના, નાની વયના લોકોનાં મોત હજુ કાં થઈ રહ્યા છે ?! લોકોને આ પ્રશ્નનો ભરોસાપાત્ર જવાબ મળતો નથી !!

દરમિયાન, એક ઘટનાક્રમ બન્યો છે, તે જાણવા જેવો છે, શક્ય છે તેમાંથી આડકતરો જવાબ અથવા સંકેત મળી શકે. આ ઘટનાક્રમ એવો છે કે, આ પ્રકારના મોત સંબંધે ICMR સમક્ષ એક RTI અરજી આવી. જેમાં વિસ્તૃત જવાબોની માંગ કરવામાં આવી, સમયમર્યાદામાં ICMR એ આ અરજીનો જવાબ આપ્યો નહીં. આથી અરજદાર પ્રથમ અપીલમાં ગયા, તો પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં, અરજદાર બીજી અપીલમાં ગયા, ત્યારબાદ 44 દિવસ પછી અરજદારને જવાબ આપવામાં આવ્યો.

આ RTI અરજીના જવાબ પરથી જાણવા મળે છે કે, આ પ્રકારના નાની વયના લોકોના મોતના હજારો કિસ્સાઓનો અભ્યાસ કરવાને બદલે, માત્ર 777 કેસનો સ્ટડી કરવામાં આવ્યો. આ કેસ ચોક્કસ રીતે પસંદ કરવામાં આવ્યા. જેમાં એક પણ કેસમાં આ પ્રકારના મૃતકના દેહનું પોસ્ટમોર્ટમ થયું નથી, માત્ર મૌખિક વાતો અને અનુમાનો જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મોતના જે કારણો રજૂ થવા જોઈએ, તે ક્યાંય થતાં નથી કેમ કે પોસ્ટમોર્ટમ જ થતું નથી. મૃતકોના પરિવારજનો સાથે મૃતકના જિવન અને રોગો સંબંધે તથા મોત સંબંધે વાતચીતો કરવામાં આવે છે, આવી છે, તેનાં પરથી સડન ડેથ અંગે અનુમાનો થયા છે,  આ બધી જ બાબતો RTI અરજીના જવાબમાં બહાર આવી છે.

આ અરજદારને ICMR તરફથી જે જવાબો આપવામાં આવ્યા છે તેમાં જાણવા મળે છે કે, 18 થી 45 વર્ષની વયના સડન ડેથના અભ્યાસની સેમ્પલ સાઈઝ ખૂબ નાની, ગુજરાતની 3 સહિત દેશની 47 હોસ્પિટલના કુલ 777 કેસનો અભ્યાસ ICMR દ્વારા કરવામાં આવેલો. ICMR એ આવા યુવામોતના સચોટ તબીબી કારણો શોધવાને બદલે વેકસીનને નિર્દોષ સાબિત કરવા કસરતો કરી. આ બધાં જ અચાનક મોત એવા હતાં જે મોતની 48 કલાક અગાઉ એકદમ સ્વસ્થ હતાં.

આ RTI અરજી સુરતથી થઈ હતી. આ સ્ટડી વર્બલ ઓટોપ્સી એટલે કે મૌખિક ચર્ચાઓ પર આધારિત છે. જે રીતે યુવા મોતના કેસ વધી રહ્યા છે તે જોતાં સચોટ કારણો શોધવા, ખરેખર તો યુવાઓનું મોટી સંખ્યામાં કાર્ડિયાક હેલ્થ સ્ક્રીનિંગ થવું જોઈએ. અને સડન ડેથના કેસમાં વૈજ્ઞાનિક ઢબે ઓટોપ્સી થવી જોઈએ.સુરતના આ અરજદારે આ અરજી દિલ્હી ICMR ને કરી હતી, દિલ્હીએ આ અરજી છેક ચેન્નાઈ મોકલી દીધી, શરૂઆતમાં તો એવો જ જવાબ અપાયો હતો કે, માહિતી ઉપલબ્ધ નથી.

ખરેખર તો આવા મોતના ખરાં કારણો જાણવા શબનું વૈજ્ઞાનિક પરીક્ષણ થવું જોઈએ. મૃતદેહની હિસ્ટોપેથોલોજિકલ તપાસથી મોતનું સચોટ કારણ જાણી શકાય. જે કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં આવા યુવા મોતનો કેસ આવે એટલે પ્રથમ તો, તરત જ લોહીનું સેમ્પલ લઈ લિપિડ પ્રોફાઇલ (લાઈપાપ્રોટીન-એ), હોમોસિસ્ટીન અને વિટામિન B-12 ના લેવલની તપાસ થવી જોઈએ, જે કરવામાં આવતી નથી. જે કેસમાં આમ શક્ય ન બન્યું હોય, તેવા કેસમાં તે જ પરિવારના એ વયજૂથના અન્ય સભ્યની લિપિડ પ્રોફાઇલ લઈ શકાય.

મૃતકની ડિટેઈલ તબીબી હિસ્ટ્રીની લેખિત તપાસ થવી જોઈએ. આ અભ્યાસમાં મોટી સંખ્યામાં કેસોનો સમાવેશ કરવો જોઈએ. સ્ક્રીનિંગમાં ધબકારની અનિયમિતતાઓનો પણ અભ્યાસ થવો જોઈએ કારણ કે, અચાનક મોતનું કારણ આ પણ હોય શકે છે. જેને તબીબી ભાષામાં એરિથમીયા કહે છે. ટૂંકમાં, આ આખો વિષય મોટાપાયા પર હાથ ધરવો જોઈએ એવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર RTO માં સરકારે સેવાઓ વિસ્તારવી આવશ્યક…

જામનગર RTO માં સરકારે સેવાઓ વિસ્તારવી આવશ્યક…

July 18, 2025
નાગરિકોને રખડતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા, સરકારનો વધુ એક નિર્ણય

રખડતાં પશુઓ, ટ્રાફિક, દબાણ તથા રસ્તાઓ, અદાલતનો મુખ્ય એજન્ડા..

July 18, 2025
લગ્નમાં સ્પ્રે ઉડાવવાની ના પાડતા મામલો બીચકયો 

જામનગર: કાલાવડમાં રૂ. 9.54 લાખની સરકારી નાણાંની ઉચાપત..

July 18, 2025
કોચિંગ ક્લાસીસ વ્યવસાયમાં વિવિધ પ્રકારની ‘સાફસૂફી’ આવશ્યક 

ભારત સરકારનો સર્વે : સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં હાલાર ‘ઠોઠડું’ !

July 17, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર RTO માં સરકારે સેવાઓ વિસ્તારવી આવશ્યક…

જામનગર RTO માં સરકારે સેવાઓ વિસ્તારવી આવશ્યક…

July 18, 2025
નાગરિકોને રખડતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા, સરકારનો વધુ એક નિર્ણય

રખડતાં પશુઓ, ટ્રાફિક, દબાણ તથા રસ્તાઓ, અદાલતનો મુખ્ય એજન્ડા..

July 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®