Mysamachar.in-જામનગર:
જામનગર તા. 7/2/1936 ના જન્મેલા જામનગરનાં રાજવી પરિવારનાં રાજકુંવરીબા શ્રી હર્ષદકુંવરીબાનું આજરોજ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયેલ છે. તેવો જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના મોટા બેન થાય છે, હર્ષદકુમારીબાના નિધનથી શોક વ્યાપી ગયો છે, અને રાજવી પરિવારમાં ઘેરા શોકની લાગણી છે. અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે આજે સવારે અંતિમ શ્વાસ લીધાનું સામે આવ્યું છે.ઇશ્વર સદગતના આત્માને શાંતિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
હર્ષદ કુમારી બા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ સક્રિયા હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વરસોથી સંક્ળાયેલા રહ્યા હતા ઉપરાંત જામનગરના શિક્ષણક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સત્યસાઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આ માટે તેઓ સતત ચિંતિત રહેતા હતા.