Mysamachar.in-જામનગર:
જામનગરમાં હાલાર હાઉસ પાસે આવેલ સ્ટાર મીડ ટાઉન ખાતે સતત સાતમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 75મો આઝાદી અમૃત મહોત્સવની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અને સમીતીના મેમ્બરો દ્વારા અથાગ મહેનત કરી રેતીથી બનાવેલ આસન પર ગણપતી બાપાની માટીથી બનેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. આ વખતે પાંચ દિવસની પૂજા આરતીનું આયોજન કર્યા બાદ ગઇકાલે રવિવારે બાપાની હરખભેર વિદાય કરવામાં આવી હતી. આ આયોજનમાં બિલ્ડીંગમાં રહેતા લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ આયોજનમાં બિલ્ડીંગમાં રહેતા ડો. હિમાંશુ ગજેરા, વિપુલ પ્રજાપતિ, સોહમ તન્ના, દિનેશ રાઠોડ, નિલેશ ભટ્ટ, પ્રકાશ બાઘોરા, હિતેશ પટેલ, ચેતન ચૌહાણ, ગુણવંતભાઈ ચૌહાણ, મુકેશ નાગપાલ, બુદ્ધદેવ ગિરિ, જીતેન્દ્ર પરમાર, કિશોરભાઈ જેઠવા, પટેલભાઈ, દયાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.






