Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી શહેરના સ્વામિનારાયણનગર નજીકના વિસ્તારથી મેગા ડિમોલીશન કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં DP રોડ બનાવવાનો છે, જે મામલો પાંચેક વર્ષથી વિલંબિત થઈ રહ્યો હતો, જે ડીમોલીશન વગર રોકાએ આજે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલી રહ્યાનું એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાએ My samachar.in સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું
તેવોએ વધુમાં કહ્યું કે સ્વામિનારાયણનગર અને ગાંધીનગર વિસ્તારને જોડતો આશરે 3.5 કિલોમીટર લંબાઈનો ડીપી રોડ બનાવવાનો છે. માટે અહી અસરગ્રસ્ત મિલકતોની માપણી અને માર્કિંગ તથા નોટિસ વગેરે કાર્યવાહીઓ બાદ આખરે આ રોડ માટેની ડિમોલીશન અને કપાત કામગીરીઓ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી દેવામાં આવી છે. જે આજે સતત ત્રીજા દિવસે અવિરત છે.

અહી કુલ 330 આસામીઓની 400 જેટલી મિલકતો પાડતોડ કરવાની કામગીરીમાં ગતસાંજ સુધીમાં 159 આસમીઓની 190 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અને આજે ત્રીજા દિવસે વિનાયક પાર્ક ઈએસઆર, ગાયત્રીનગર, મચ્છરનગર સહિતના વિસ્તારો તરફ કાર્યવાહી આગળ ધપી રહી છે.આમ આ વર્ષોથી અટકી પડેલ ડીપી અમલવારીની કામગીરી પૂર્ણ થતા અહીંથી સુવિધાસભર રસ્તો લોકોને મળશે તેમ મનપાનું માનવું છે.