• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, May 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખુદ કોર્પોરેશન કહે છે…તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે.!

આ 'ઝેરી' પાણી ભૂગર્ભજળ મારફતે નગરજનોના શરીરમાં પ્રવેશે છે કે કેમ- તે તપાસ જરૂરી...

My Samachar by My Samachar
March 22, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
ખુદ કોર્પોરેશન કહે છે…તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે.!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરમાં બ્રાસઉદ્યોગના જળ પ્રદૂષણનો મામલો વર્ષોથી ચર્ચાઓમાં છે. આમ છતાં આ જળ પ્રદૂષણ અટકાવવા સંબંધે કોઈ ઠોસ પગલાંઓ કોઈ પણ તંત્ર દ્વારા લેવામાં આવતાં ન હોય, કરદાતા નગરજનોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આમ છતાં આ ગંભીર બાબત પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. નદી અને તળાવ જેવા મહત્ત્વના જળસ્ત્રોત પ્રદૂષિત થતાં હોય એ તંત્ર જાણે છે, છતાં આ પ્રદૂષણ કંટ્રોલ ના કરી શકાય, એ કેવું ?!…

આગામી સમયમાં ચેલા ચંગા નજીકના રંગમતી ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોય, આ ડેમનું પાણી કેનાલ મારફતે નગરના તળાવમાં લાવવામાં આવશે. આ મુદ્દો સારો છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે, ડેમનું આ સારૂં પાણી તળાવ સુધી પહોંચશે ત્યારે ‘ઝેરી’ અને જોખમી બની ચૂક્યું હશે ! કારણ કે જે કેનાલ મારફતે આ પાણી તળાવમાં ઠલવાશે, એ કેનાલમાં તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે. તો શું તળાવનું આ નવું અને જૂનું- બધું જ પાણી કેમિકલયુક્ત બની જશે ?!

અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ મહાનગરપાલિકાની એક રેકોર્ડ પર નોંધ છે કે ઉદ્યોગનગરોનું ગટરોનું પાણી તથા વરસાદી પાણી ફીડીંગ કેનાલમાં આવે છે. આ પાણીમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ભળે છે. આ પાણી કેનાલ મારફતે તળાવમાં ઠલવાય છે. આથી તળાવની માછલીઓ સહિત અન્ય જીવોને નુકસાન થઈ રહ્યું છે.સાવ આવું સ્પષ્ટ છે હો રેકોર્ડ પર બોલો…!

અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ પાણી માત્ર માછલીઓને જ નુકસાન નથી કરતું. તળાવનું આ લાખો લિટર પાણી ભૂગર્ભ જળના રૂપમાં તળાવ આસપાસના સેંકડો વિસ્તારોના ડંકી અને બોરમાં જાય છે. આ પાણીનો ઉપયોગ લાખો નગરજનો પીવામાં ઉપયોગ કરે છે. અહીં પ્રશ્ન એ છે કે, આ લાખો નગરજનોના આંતરડામાં આ કેમિકલયુક્ત પાણી પ્રવેશ કરે છે પછી, આ નગરજનોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પહોંચતી નહીં હોય ?! આ મુદ્દાની તપાસ થવી જોઈએ. એ જ રીતે ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને કારણે નદી આસપાસના હજારો ભૂગર્ભ જળ સ્ત્રોત પણ દૂષિત અને ઝેરી બની રહ્યા છે. આ મુદ્દે ભૂતકાળમાં અનેકવખત રજૂઆત પણ થઈ છે. આમ છતાં આ ચિંતાઓ કોઈએ દૂર કરી નથી ! જો કે આ જવાબદારીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આવે છે પણ તે વિભાગ કોઈ આકરી કાર્યવાહી નથી કરતુ તે પણ ઉલ્લેખનીય છે.

નગરજનો એવી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, રંગમતી ડેમનું લાખો લિટર સારૂં પાણી દૂષિત કેનાલમાં થઈ તળાવમાં ઠાલવવામાં આવે તે પહેલાં, આ સંપૂર્ણ કેનાલને એકદમ સ્વચ્છ કરવામાં આવે. અને કેનાલ સ્વચ્છ થયા બાદ તેમાં વહી ડેમનું પાણી તળાવમાં આવે તે સમયે કેનાલના આ શુદ્ધ પાણીમાં કોઈ પણ પ્રકારનો કચરો, ગંદકી, કેમિકલ કે ઝેર અથવા ગટરનું પાણી ન ભળે- તે જોવાની ચિંતાઓ થવી જોઈએ. કેમ કે, આ મામલો લાખો નગરજનોના આરોગ્ય સાથે સીધો જ સંબંધ ધરાવતો સંવેદનશીલ અને ગંભીર મામલો છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરનો સેપ્ટિક ટેન્ક મામલો : ગંભીર યુવાનની હાલત ચિંતાઓની બહાર..

જામનગરનો સેપ્ટિક ટેન્ક મામલો : ગંભીર યુવાનની હાલત ચિંતાઓની બહાર..

May 3, 2025
દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત

May 3, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®