• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકાધીશ ભક્તો માટે મોટા સમાચાર, હવે જગતમંદિરે 5 નહિ દૈનિક 6 ધ્વજા ચઢશે

My Samachar by My Samachar
July 12, 2023
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દ્વારકાધીશ ભક્તો માટે મોટા સમાચાર, હવે જગતમંદિરે 5 નહિ દૈનિક 6 ધ્વજા ચઢશે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. અને કરોડો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે જગત મંદિર દ્વારકાના શિખરે ધ્વજા ચઢાવવાનું અનેરુ મહત્વ ભક્તોને હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધ્વજા ચઢતી હોય છે, જો કે દ્વારકાધીશ મંદિરના ધ્વજા ચઢાવવાનો નિયમ બદલાયો છે. હવેથી જગત મંદિરમાં દૈનિક 5 નહિ, પરંતુ 6 ધ્વજા ચઢાવવામાં આવશે. યાત્રાધામ દ્વારકાનાં પ્રસિદ્ધ જગત મંદિર પર હવેથી પ્રતિદિન 6 વખત ધ્વજારોહણ થશે. આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે, જે ગઈકાલે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક બાદ લેવાયો છે.

દેવસ્થાન સમિતિ તથા ગૂગળી જ્ઞાતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે, આજથી 12 જુલાઈથી જગત મંદિર દ્વારકામાં દરરોજ 6 ધ્વજાજી ચઢશે. જેથી હજારો ભક્તો હવેથી 6 ધ્વજાનો લાભ મળશે. જેથી હવે યાત્રિકોને મંદિરમાં ધ્વજા ચઢાવવા માટે વિલંબ નહિ પડે. અને વેઈટીંગ લીસ્ટ આપોઆપ ઘટી જશે… દેવસ્થાન સમિતિના આ નિર્ણયથી ભક્તોમાં ખુશી છવાઈ છે. માત્ર બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં કેટલીક ધ્વજા ચઢી ન હતી, જેથી બાકીની ધ્વજા ચઢાવવા માટે 5 ને બદલે 6 ધ્વજા ચઢાવવાનો નિર્ણય કરાયો હતો. જે હવે કાયમી રાખવામાં આવ્યો હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે.

આ અંગે દ્વારકા માહિતી વિભાગ દ્વારા આજે બુધવારે જે સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર પર હવેથી 6 ધ્વજારોહણ કરવાનો તા.11/07/2023ના રોજ જિલ્લા કલેકટર તેમજ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રાંત અધિકારી દ્વારકા અને વહીવટદાર પાર્થ તલસાણીયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તા.11/07/2023ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગત મંદિરમાં છઠ્ઠી ધ્વજારોહણ કરવા બાબતે તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા છઠ્ઠી ધ્વજા ચડાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પર સમિતિ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. જેનાથી ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવા માંગતા ભાવિકોને આ લાભ મળતો થશે.

– ધ્વજા ફાળવણી અંગે ઓનલાઈન પોર્ટલ પણ શરુ થશે…

દેશ વિદેશમાં વસતા ભગવાન શ્રી દ્વારકાધીશના ભાવિકોની સુગમતા અને પારદર્શકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ધ્વજાની ફાળવણી ઓનલાઇન પોર્ટલ દ્વારા થાય તે બાબતે પણ ચર્ચા કરી નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૂગળી બ્રાહ્મણ સમાજ સાથે પરામર્શમાં રહી 1 નવેમ્બર, 2023થી આ પોર્ટલ શરૂ થાય તેવી વિચારણા કરવામાં આવી છે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય રમેશભાઈ હેરમા અને મુરલીભાઈ ઠાકર તેમજ કમલેશભાઈ શાહની હાજરીમાં ગૂગળી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે તેમ નક્કી કરાયું છે.

આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે અને પોર્ટલ શરૂ થયેથી તમામ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભાવિકોને સુગમતા રહેશે અને ધ્વજાની ફાળવણી વધુ પારદર્શક રીતે થશે તે બાબતે મિટિંગમાં સર્વ સંમતી સાધવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®