• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, July 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શહેર બાદ હાઈવે પર ખૂંટીયો આડો ઉતરતા મોત, વાડી ફરતે મુકેલ વીજતારે લીધો જીવ

વાડીને ફરતે ગેરકાયદેસર મૂકાયેલો વીજતાર એકને ભરખી ગયો : દાખલ થતો ગુનો...

My Samachar by My Samachar
November 1, 2024
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
વલસાડ:વીજકરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

રખડતાં પશુઓને કારણે શહેરમાં, ગ્રામ્ય વિસ્તારમાં અને ધોરીમાર્ગો પર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા હોવા છતાં, રખડતાં પશુઓની સમસ્યાઓને સત્તાવાળાઓ દ્વારા ગંભીર લેખવામાં આવી રહી ન હોય, નિર્દોષ લોકોની બલિ ચડી રહી છે. આવો વધુ એક બનાવ જામનગર નજીકના ચેલા ગામના યુવાન સાથે બન્યો છે. રખડતાં પશુએ એમનો ભોગ લીધો છે.

જામનગર નજીકના ચેલા ગામમાં રહેતાં પરેશસિંહ ભીમસંગ રાઠોડએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે કે, 24મી ઓક્ટોબરે સાંજે સાડાસાત વાગ્યા આસપાસ, તેમના 42 વર્ષના મોટાભાઈ કિશોરસિંહ ભીમસંગ રાઠોડ પોતાનું મોટરસાયકલ લઇ કારખાનેથી ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે, જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર સીએનજી પંપ નજીકના વિસ્તારમાં અચાનક એક મોટો ખૂંટીયો રોડ પર ચડી આવ્યો હતો અને જોરથી કિશોરસિંહના મોટરસાયકલ સાથે અથડાઈ જતાં, કિશોરસિંહ મોટરસાયકલ સહિત રોડ પર ફેંકાઈ ગયા હતાં અને આ અકસ્માતમાં કિશોરસિંહને માથાં સહિતના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલાં કિશોરસિંહનું મૃત્યુ નીપજયું હતું.

અકસ્માત મોતના અન્ય એક બનાવમાં, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં આશાબા કુલદીપસિંહ વાઢેરએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે કે, તેમના 38 વર્ષના પતિ કુલદીપસિંહ બળવંતસિંહ વાઢેરએ ઘરમાં, સાડી વડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. આ ઉપરાંત, અકસ્માત મોતનો અન્ય એક બનાવ, મેઘપર પોલીસમાં જાહેર થયો છે. જેમાં રાજકોટના રૂપેશભાઈ જગુભાઈ ખાચરએ એમ જાહેર કર્યું છે કે, તેમનો 24 વર્ષનો પુત્ર રાજવીરસિંહ મોટી ખાવડી નજીકની ગ્રીન ટાઉનશિપમાં રહેતો હતો. તે પોતાના રહેણાંકમાં સૂતો હતો ત્યારે, અચાનક બેભાન બની ગયો. બાદમાં તેને મોટી ખાવડીમાં આવેલાં ખાનગી કંપનીના મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો જ્યાં તબીબે હાર્ટએટેકથી આ યુવાનનું મોત થયાનું જાહેર કર્યું છે.

આ ઉપરાંત મોતનો અન્ય એક ચકચારી બનાવ જોડીયા પોલીસમાં નોંધાયો છે. ફરિયાદમાં એમ જાહેર થયું છે કે, આ બનાવમાં મોતના પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો છે. આ મામલાએ જોડીયા પંથકમાં ચકચાર જગાવી છે. એક વાડીમાં ફરતે ગેરકાયદેસર રીતે ગોઠવવામાં આવેલો વીજતાર એક વ્યક્તિને ભરખી ગયો છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જોડીયાના લીંબુડા-ખીરી ગામની સીમમાં જીતેન્દ્ર માધવજીભાઈ ગાંભવાની વાડીમાં ખેતમજૂરી અર્થે વસવાટ કરતી 23 વર્ષની આદિવાસી મહિલા રેખાબેન લાલુભાઈ સહેપસિંહ અજનારે પોલીસમાં જાહેર કર્યું છે કે, ભાયાભાઈ નારણભાઈ કંડોરિયાએ પોતાની વાડીમાં, મગફળીના પાક ફરતે ગેરકાયદેસર રીતે વીજવાયર પાથરી દીધાં છે. આ વીજવાયર તેણે પોતાના માણસ કાલુ ભૂરસિંહ બુંદેડીયાને કહીને પથરાવ્યા હતાં. આ વીજવાયરમાં ઈલેક્ટ્રીક પાવર ચાલુ કરવામાં આવેલો. આ સમયે ફરિયાદીના પતિ લાલુભાઈ સહેપસિંહ અજનાર કોઈ કારણસર આ જીવતાં વીજવાયરને અડી ગયા હતાં. આથી વીજશોકને કારણે લાલુભાઈનું મોત થયું. બાદમાં આરોપી કાલુ બુંદેડિયાએ આ અંગે આરોપી ભાયાભાઈને જાણ કરી.

ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી ભાયાભાઈએ મૃતક લાલુભાઈની લાશ અન્ય જગ્યાએ ફેંકી દેવા કાલુ બુંદેડિયાને સૂચના આપી. ત્યારબાદ, કાલુ તથા કાલુની પત્ની કારીબેને લાલુભાઈની લાશ બનાવના સ્થળેથી ઉપાડી અન્ય જગ્યાએ ફેંકી, પુરાવાનો નાશ કરવાના આ પ્રયાસમાં મદદગારી કરી, એમ જણાવી મૃતકના પત્ની રેખાબેને કાલુ તથા તેની પત્ની કારીબેન તેમજ ભાયા નારણભાઈ કંડોરિયા એમ ત્રણ વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®