Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન મોદી આજે સોમવારે અને આવતીકાલે મંગળવાર એમ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. આ પ્રવાસ દરમ્યાન કચ્છના ભૂજ ખાતે એમનો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો મોટો સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની સેંકડો ST બસને પણ જોડવામાં આવી છે.

વડાપ્રધાનના ભૂજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામેગામથી ભાજપાના કાર્યકર્તાઓ અને અન્ય નાગરિકોને મોટી સંખ્યામાં લઈ જવા અને પરત લાવવાના આયોજનના ભાગરૂપે સેંકડો ST બસને કામે લગાડવામાં આવી છે. આ આયોજનમાં જામનગર, ધ્રોલ, જામજોધપુર અને ખંભાળિયા તથા દ્વારકા ST ડેપોની કુલ 130 બસોને પણ મેદની ભેગી કરવાની કામગીરીઓમાં જોડવામાં આવી છે. જેને કારણે હાલારના બંને જિલ્લાઓના સેંકડો ગ્રામ્ય વિસ્તારોના ટૂંકા રૂટ રદ્દ કરી નાંખવામાં આવ્યા છે. આ સંખ્યાબંધ બસ રૂટ રદ્દ થતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના હજારો મુસાફરો અને દૈનિક અપડાઉન કરતાં હજારો પ્રવાસીઓએ હાલાકીઓ વેઠવી પડી રહી હોવાનું જાણવા મળે છે.(file image)
