• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, July 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સરકારના આંકડા : ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદ ‘વિકાસ’ સંબંધિત…

મહેસૂલ અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા-ત્રીજા ક્રમે હજુ પણ બિનહરીફ: વિધાનસભામાં રજૂ થયા આંકડા...

My Samachar by My Samachar
December 9, 2024
in ગાંધીનગર, ગુજરાત
Reading Time: 1 min read
A A
GST રીફંડ ચુકવવા સુપ્રિટેન્ડન્ટ 5 હજાર લેતા ACBને હાથ ઝલાઈ ગયા 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

આજે નવમી ડિસેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સંબંધે શું સ્થિતિઓ છે, તેના આંકડા રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલાં રિપોર્ટના આધારે જાહેર થયેલા તેમાં જણાવાયું છે કે, સરકારના 21 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 12,600 કરતાં વધુ ફરિયાદો મળેલી જે પૈકી 25 ટકા જેટલી ફરિયાદો એકલાં માત્ર શહેરી ‘વિકાસ’ વિભાગને મળી. તેનો સાદો અર્થ એ થઈ શકે કે, ‘વિકાસ’ સાથે જે બાબતો અને કામો સંકળાયેલા છે- તેમાં સૌથી વધુ ફરિયાદ છે.

વર્ષ 2023માં વિધાનસભામાં સરકારે જે આંકડા જાહેર કરેલાં તે દર્શાવે છે કે, સરકારના 21 વિભાગમાં જે 12,049 ફરિયાદ ભ્રષ્ટાચાર સંબંધિત મળી તે પૈકી સૌથી વધુ એટલે કે 25 ટકા જેટલી ફરિયાદ શહેરી વિકાસ મંત્રાલયને મળી. આ વિભાગમાં 2,996 ફરિયાદ છે. 1,735 ફરિયાદ સાથે મહેસૂલ વિભાગ બીજા નંબરે છે, એક જમાનામાં આ વિભાગ પ્રથમ ક્રમે રહેતો હતો. ત્રીજા ક્રમે પોલીસ વિભાગ છે, જેમાં 1,205 ફરિયાદ આવી છે.

સરકારના વિવિધ 21 વિભાગોની કચેરીઓ, બોર્ડ-નિગમો અને મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે સંબંધે જે 12,608 ફરિયાદો થઈ છે તે પૈકી 578 ફરિયાદ પ્રાથમિક તપાસ માટે જેતે વિભાગોને મોકલવામાં આવી છે. નાગરિકો ભ્રષ્ટ તંત્રોને કારણે ત્રસ્ત છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના 90 ટકા કેસ તો પેન્ડિંગ જ રહે છે. માત્ર 39 ટકા મામલામાં સંબંધિત કસૂરવારોને સજાઓ થતી હોય છે.

એનસીઆરબીનો એક રિપોર્ટ કહે છે: વર્ષ 2022માં ગુજરાતમાં લાંચિયા તત્વોને ઝડપી લેવા 160 છટકાં ગોઠવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 5 વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના કેસ દાખલ થયેલા. 2 કસૂરવારોની ભ્રષ્ટાચારમાં ગુનાહિત સંડોવણી બહાર આવી હતી. અને ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય 9 કેસ મળી આ વર્ષમાં કુલ 176 કેસમાં કાર્યવાહીઓ થઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, લોકોમાં ભ્રષ્ટાચાર સંબંધે જાગૃતિ આવી છે. રાજ્યના વિજિલન્સ કમિશન સમક્ષ ફરિયાદો કરવાનું પ્રમાણ વધતું રહ્યું છે. NCRBનો અહેવાલ એમ પણ કહે છે કે, વર્ષ 2022ના અંતે ભ્રષ્ટાચારના 95 ટકા કેસ પડતર રહ્યા હતાં. અને, માત્ર 39 ટકા કેસમાં કસૂરવારોને સજાઓ થઈ. ભ્રષ્ટાચારની ફરિયાદો પૈકી 2,749 અરજીઓમાં વિજિલન્સ કમિશનને તથ્ય ન જણાતાં આ અરજીઓ દફતરે કરવામાં આવી છે. સંખ્યાબંધ મામલાઓ એવા હોય છે જેમાં કાં તો તપાસ થતી નથી અથવા જો તપાસ હાથ ધરવામાં આવે તો તપાસ ખૂબ ધીમે આગળ વધતી હોય છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ગળાફાંસો :મિલન સાથે તારૂં ‘મિલન’ નહીં થાય, એમ બે મહિલાઓએ કહ્યા બાદ…

ગળાફાંસો :મિલન સાથે તારૂં ‘મિલન’ નહીં થાય, એમ બે મહિલાઓએ કહ્યા બાદ…

July 7, 2025
જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

સરકારને 3 મહિનામાં જામનગરમાંથી રૂ. 892 કરોડની GSTની કમાણી…

July 7, 2025
વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

વોર્ડ-3ના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોશી દ્વારા ચોથા વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન

July 7, 2025
જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

જિયોમાં ગરબડ: એક જ મહિનામાં ત્રીજો બ્લેકઆઉટ….

July 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગળાફાંસો :મિલન સાથે તારૂં ‘મિલન’ નહીં થાય, એમ બે મહિલાઓએ કહ્યા બાદ…

ગળાફાંસો :મિલન સાથે તારૂં ‘મિલન’ નહીં થાય, એમ બે મહિલાઓએ કહ્યા બાદ…

July 7, 2025
જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

સરકારને 3 મહિનામાં જામનગરમાંથી રૂ. 892 કરોડની GSTની કમાણી…

July 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®