Mysamachar.in-અમદાવાદ:
કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી એજન્સી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ પગલાંથી ગ્રાહકોનો વાસણો પ્રત્યે ભરોસો વધશે અને ઉત્પાદકો શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા તરફ પ્રેરિત થશે. ઉપભોકતા સુરક્ષા અને ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવાયો છે. BISનું માનક ચિહ્ન ધરાવતાં ન હોય એવા સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોના ઉત્પાદન, આયાત,વેચાણ, વિતરણ અને સંગ્રહ પર BIS દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં કિસ્સાઓમાં સ્ટાન્ડર્ડ ન હોય એવા વાસણોનું વિનામૂલ્યે વિતરણ અથવા લ્હાણી પણ થતી હોય છે. આમ તો આ આદેશ ગત્ 14મી માર્ચે જાહેર થઈ ગયો હતો પરંતુ મંત્રાલયે હવે આ આદેશનું પાલન ફરજિયાત બનાવ્યું છે. આદેશનું પાલન ન થાય તેવા કિસ્સાઓમાં દંડનીય કાર્યવાહીઓ પણ થશે.
(symbolic image source:google)