Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ફક્ત થોડા જ વરસાદના છાંટા પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજધાંધિયાઓ શરુ થઇ જાય છે, અને કલાકો સુધીના રીપેરીંગને કારણે ટ્રાન્સફોર્મરમાં ધડાકાઓ થતા બીપી, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમના દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે, પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવા છતાં પણ ચાર છાંટા પડે અને કેટલાય લોકોને સમસ્યાઓનો પાર રહેતો નથી, જે વીજગ્રાહકના હિતમાં વ્યાજબી નથી. આથી પ્રી મોન્સુન કામગીરી પણ તપાસનો વિષય છે?
હજુ ચોમાસુ તો બાકી છે એથી જામનગર અને દ્વારકા શહેર જીલ્લાના તમામ ટ્રાન્સફોર્મર, વીજ કેબલ તેમજ વીજ વાયરની ચકાસણી કરી ચોમાસા દરમ્યાન વીજગ્રાહકોને વીજ પાવર વગર પરેશાની ના ભોગવવી પડે તેમજ દરેક ફોલ્ટ સેન્ટરમાં કોન્ટ્રાકટબેઝ સિવાયના જવાબદાર અધિકારીઓને બેસાડવા જોઈએ જેથી વીજ ગ્રાહકોની ફરિયાદનું ઝડપી નિવારણ થઇ શકે તેવી માંગ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠીયા દ્વારા પીજીવીસીએલ અધિક્ષક અને રાજકોટ કોર્પોરેટ કચેરીને કરવામાં આવી છે.