• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સાવધાન: લેબોરેટરીઓ એલર્જી ટેસ્ટના નામે મોટી રોકડી કરે છે 

My Samachar by My Samachar
January 8, 2024
in અમદાવાદ
Reading Time: 1 min read
A A
સાવધાન: લેબોરેટરીઓ એલર્જી ટેસ્ટના નામે મોટી રોકડી કરે છે 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

ડોકટરના દવાખાના કે હોસ્પિટલનું પગથિયું ખર્ચાળ હોય છે. મોટાભાગના તબીબો દર્દીઓ તથા તેઓના પરિવારજનોને મીઠી અને સારી ભાષામાં ડરાવતાં હોય છે અને વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અનિવાર્ય છે, એવું તેઓના મગજમાં ઠસાવી દે છે (જો કે કેટલાંક કેસમાં સાચાં નિદાન માટે ટેસ્ટ અનિવાર્ય હોય પણ છે) અને પછી શરૂ થાય છે ગેમ. લેબોરેટરીઓ આ ધંધામાં મોટી રોકડી કરતી હોય છે, આ ધંધો કસદાર હોવાથી કોર્પોરેટ કંપનીઓ પણ આમાં ઝૂકાવી ચૂકી છે. 

હાલના સમયમાં એક નવો પવન ચાલ્યો છે, ડોકટરો એલર્જીપુરાણ વાંચે છે અને દર્દીઓને નર્કની વેદનાઓ અંગે માહિતગાર કરે છે, જાત-જાતના એલર્જી ટેસ્ટની ભલામણો થાય છે અને લેબોરેટરીઓ રાતદિવસ આ ટેસ્ટ કરે છે, ત્યાં પણ વેઈટીંગ હોય છે. અને અમુક લેબોરેટરીઓના સંચાલકો દર્દીઓના પરિવારજનોને એમ પણ કહે છે કે, આ સેમ્પલ અમદાવાદ અથવા મુંબઈ મોકલવામાં આવશે, ચાર પાંચ દિવસ બાદ રિપોર્ટ આવશે. દર્દીઓને એવું ફીલ થાય કે તેમને રાજરોગ થયો છે! અમુક દર્દીઓ નાણાં ખર્ચ કરવામાં ગૌરવ પણ અનુભવતાં હોય છે જયારે અસમર્થ દર્દીઓ નાણાં ઉછીના લઈને પણ ટેસ્ટ કરાવતાં હોય છે.

બધાં જ પ્રકારના એલર્જી ટેસ્ટ જરૂરી નથી હોતાં. ઘણી વખત દર્દીઓની એલર્જી સંબંધિત માન્યતા ખોટી પણ હોય છે, ઘણાં કેસમાં નિદાન પણ શંકાસ્પદ હોય છે, ઘણાં કેસમાં એલર્જી ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવતાં હોય છે, ઘણાં કેસમાં સામાન્ય એલર્જીનો રિપોર્ટ આવતો હોય છે. ઘણાં રિપોર્ટ એટલાં ભયંકર હોય છે, જેટલી એલર્જી ભયજનક નથી હોતી. એકંદરે ગેમ ચાલતી રહે છે. લેબોરેટરીઓ મોટી રોકડી કરતી રહે છે, લેબોરેટરીઓ પૈકી ઘણી લેબોરેટરીઓ ડોકટરો સાથે ગાઢ રીતે સંકળાયેલી પણ હોય છે, જે હવે ઓપન સિક્રેટ બની ગયું છે. 

તાજેતરમાં અમદાવાદમાં સદવિચાર પરિવાર આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં 83મું વ્યાખ્યાન યોજાયું. જેમાં તજજ્ઞ તબીબોએ કહ્યું: ઘણાં પ્રકારની એલર્જીઓ નિયમિત ખોરાક, શારીરિક વ્યાયામ, યોગા અને ધ્યાન જેવા ઉપાયોથી નાબૂદ કરી શકાય છે. અમુક એલર્જીઓમાં વેકસીન પણ અસરકારક પરિણામો આપે છે. એલર્જીઓથી બચી પણ શકાય છે. 

એલર્જી અને પ્રદૂષણ વિષયના તજજ્ઞ ડો. રાજ ભગતે આ વ્યાખ્યાનમાં સમજ આપી કે, કેટલાંક કેસમાં ખોટાં અને બિનજરૂરી ટેસ્ટને કારણે લેબોરેટરીઓ પુષ્કળ કમાણી કરે છે. વધુમાં તેઓએ કહ્યું: હાલના સમયમાં એલર્જીના 30 ટકા કેસ વારસાગત હોય છે. તેઓએ એમ પણ કહ્યું કે, તમામ એલર્જીઓનું સો ટકા નિદાન શકય પણ નથી. પ્રદૂષણ ખૂબ વધી ગયું છે, એલર્જીઓથી બચવું લગભગ અશક્ય બની ગયું છે. 

અગરબતી, રસોઈનો ધૂમાડો, વાડીખેતરોમાં અનાજમાંથી નીકળતી પરાગરજ જેવા વિવિધ કારણો ઉપરાંત ઘરમાં પાળવામાં આવતાં કૂતરાંઓ અને બિલાડીઓ પણ એલર્જીઓ આપી શકે છે. કબૂતરની અર્ગ અથવા ગાય કે ભેંસ સાથેનો સહવાસ પણ એલર્જીઓ આપી શકે. દીવાળીના સફાઈકામોથી પણ એલર્જીઓ થઈ શકે. ઋતુઓ પણ ભાગ ભજવે.

ઘઉં  અથવા દૂધથી કયારેય એલર્જીઓ થતી નથી. બધી એલર્જીઓના કારણો શોધી પણ ન શકાય. ધૂળની એલર્જી કોમન છે. ઘણાં કેસમાં દર્દીઓ તો ઠીક ડોકટરોને પણ એલર્જીઓ બાબતે ખાસ જાણકારીઓ હોતી નથી. શહેરોમાં એલર્જીઓ માટેની લેબોરેટરીઓ પુષ્કળ શરૂ થઈ રહી છે, સાવધ રહેવું. એલર્જીઓ સ્કીન ટેસ્ટ અથવા બ્લડટેસ્ટથી જ જાણી શકાય. 

પ્રદૂષણ અને ધૂમ્રપાન તથા તંબાકુ જેવા કારણો મગજ અને હ્રદય પર અસરો કરતાં હોય છે તેને કારણે પણ અમુક એલર્જીઓ થઈ શકે. ખાનપાન નિયમિત રાખવા જોઈએ. ચાલવા કે સાયકલીંગ જેવો વ્યાયામ પણ ઉપયોગી નીવડે. વાસી ખોરાક કયારેય ન ખાવો, મોડી રાતે ભોજન ન લેવું. એલર્જીઓના કેસમાં જરૂર પડ્યે એક વખત વેકસીન લઈ લેવાથી પણ કાયમી માટે બચી શકાય, એમ ડો. રાજ ભગતે પ્રવચનનાં અંતમાં જણાવ્યું.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના

ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના

May 7, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

2 FIR : જામનગરમાં 3 મહિલાઓએ કુલ રૂ. 14.29 લાખની છેતરપિંડીઓ કરી..

May 7, 2025
JCB ગેસલાઈનને અડયું..સ્પાર્ક અને પછી આગમાં 3 મોત, 5 ઘાયલ !!

JCB ગેસલાઈનને અડયું..સ્પાર્ક અને પછી આગમાં 3 મોત, 5 ઘાયલ !!

May 7, 2025
વીજથાંભલાઓ જમીનમાં સલામત રીતે લગાડવા જરૂરી…

માવઠાં-પવનનો માર : હાલારમાં વીજતંત્રની પરેશાનીઓ વધી…

May 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના

ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના

May 7, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

2 FIR : જામનગરમાં 3 મહિલાઓએ કુલ રૂ. 14.29 લાખની છેતરપિંડીઓ કરી..

May 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®