• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, August 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, શું છે મહાત્મય અને ઘટ સ્થાપનનું મહત્વ 

My Samachar by My Samachar
September 22, 2022
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, શું છે મહાત્મય અને ઘટ સ્થાપનનું મહત્વ 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

શારદીય નવરાત્રિનો આરંભ 26 મી સપ્ટેમ્બર 2022 સોમવારથી હસ્ત નક્ષત્રમાં થઈ રહ્યો છે.અને માતાજીનું આગમન ગજ {હાથી} પર થઈ રહ્યું છે.શારદીય નવરાત્રીમાં ઘટસ્થાપન કરવાનું વિશેષ મહત્વ હોયછે.આ વર્ષે ઘટસ્થાપન કરવા માટેનું શ્રેષ્ઠ મૂહર્ત આ પ્રમાણે છે.આ સમય દરમ્યાન ઘટ સ્થાપન કરવું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે.

પ્રથમ મૂહર્ત – 26 મી સપ્ટેમ્બર 2022  સવારે 06:41 મિનીટ થી સવારે 08:10 મિનીટ સુધીનું છે.
દ્વિતિય મૂહર્ત-26 મી સપ્ટેમ્બર 2022  સવારે 09:42 મિનીટ થી સવારે 11:11  મિનીટ સુધીનું છે.
તૃતિય મૂહર્ત-26 મી સપ્ટેમ્બર 2022 બપોરે 12:17 મિનીટ થી 13:05 મિનીટ સુધીનું છે.

આ વર્ષે અદભૂત લાભના સંયોગ બન્યા છે.આ વર્ષે લક્ષ્મી યોગ અને ગજ કેસરી યોગમાં માતાજીનું આગમન ગજ {હાથી} પર થય રહ્યું છે.માટે દેશ અને દુનિયામાં અર્થ વ્યવસ્થા અને રાજનીતિ ખુબજ સારી રીતે ચાલે તેવી સંભાવના દેખાય રહી છે.દેવી ભાગવત અનુસાર નવરાત્ર સોમવારે શરૂ થતા હોવાથી ગજ{હાથી} પર માતાજીનું આગમન શુભ ફળ આપે છે.

-માતાજીની સવારી કેવી રીતે નક્કી થાય છે?
શશિસૂર્યે ગજારુઢા શનિભોમે તુરંગમે, ગુરૌ શુક્રેચ દોલાયાં, બુધે નૌકા પ્રકીર્ત્તિતા |
અર્થાતદેવી ભાગવતમાં જણાવાયું છે કે રવિવારે અને સોમવારે જો પ્રથમ પૂજા કે કળશ સ્થાપના હોય તો મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. 
શનિવાર અને મંગળવારે કળશ સ્થાપના હોય તો મા દૂર્ગા ઘોડા પર સવાર થઈને આવે છે.
ગુરુવારે અને શુક્રવારે કળશ સ્થાપના હોય તો માતા ડોલીમાં ચઢીને આવે છે.
અને જો બુધવારે કળશ સ્થાપના હોય તો માતા નાવ પર સવાર થઈને આવે છે.
જો કે જે વર્ષે માતાજી ગજ {હાથી} સવાર થઈને આવે તે વર્ષે ખેડૂતોને સારા ભાવ મળે છે. ખેતી સારી થાય છે. 
દુર્ગાનું આ વાહન કામના પૂર્તિ કરનારું પણ માનવામાં આવે છે. ગજ{હાથી} વિહારની મુદ્રામાં દેવીનું પ્રાગટ્ય આ નવરાત્રિમાં સાધના અને ઉપાસનાથી અભીષ્ટ સિદ્ધિ તરફ ઈશારો કરે છે.

-નવરાત્રી દરમ્યાન ક્યાં દિવસે ક્યાં માતાજીનીપૂજા કરવી? નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપો ની પૂજા કરવામાં આવેછે.
પ્રથમ રાત્રીએ  શૈલપુત્રી માતાજીની પૂજા કરવી,
બીજી રાત્રીએ બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવી, 
ત્રીજી રાત્રીએ ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવી, 
ચોથી રાત્રીએ કુષ્માંડા માતાજીની પૂજા કરવી, 
પાંચમી રાત્રીએ સ્કંદમાતા માતાજીની પૂજા કરવી, 
છઠી રાત્રીએ કાત્યાયની માતાજીની પૂજા કરવી, 
સાતમી રાત્રીએ કાલરાત્રી માતાજીની પૂજા કરવી, 
આઠમે રાત્રીએ મહાગૌરી માતાજીની પૂજા કરવી, 
નવમી રાત્રીએ સિદ્ધિદાત્રિ માતાજીની પૂજા કરવી,

નવરાત્રી દરમિયાન પ્રતિ દિવસ સુધી નવ કુમારી કન્યાઓની પૂજા કરવી જોઇએ. નવરાત્રી દરમિયાન બ્રાહ્મણોને ભોજન અને ધનનું દાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તી મળે છે અને પુણ્યમાં વધારો થાય છે.નવરાત્રીમાં વ્રત કરનારા ભક્તોએ ફળ અને અન્નનું દાન કરવું જોઈએ. દેવી પૂજા કરતા સમયે હાર-ફૂલ, પ્રસાદ, કુમકુમ, ચંદન, ચોખા વગેરેથી પૂજા કરવી જોઇએ. નવરાત્રી દરમ્યાન દુર્ગાશપ્તસતીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તેમજ દશેરાને દિવસે દશાંશ યજ્ઞ કરવો જોઈએ.દુર્ગા સપ્તસતીપાઠ નો યજ્ઞ પણ કરવો.

-માતાજીની ઉપાસના દરમ્યા ન પાળવાના નિયમો 
માતાજીની પૂજા-ઉપાસના કરનાર વ્યક્તિએ નવરાત્રી દરમ્યાનન શક્યચ હોય તો ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું.માતાજીની પૂજામાં વિવિધ પુષ્પો-ફળો-નૈવૈદ્યનો ઉપયોગ કરવો.સવારે તથા સાંજે માતાજીનું પૂજન કરવું.રાત્રે જમીન ઉપર સુવું – પલંગ ઉપર સુવું નહિં અને દિવસે સુવું નહિં. નવરાત્રીમાં માતાજીનું પૂજન-હવન કરવો.અને બ્રહ્મ ભોજન કરાવવું. નવરાત્રી દરમ્યા સત્ય, શૌચ અને બ્રહ્મચર્યનું પાલન કરવું. મનને કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકારથી મુક્તિ રાખવું. મનની શુદ્ધિ ઉપાસના દરમ્યાન આવશ્યક છે.

 માહિતી: જ્યોતિષાચાર્ય જીગર એચ પંડ્યા: {ગોલ્ડ મેડાલીસ્ટ}9714652602

              

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં એક તો 60 દિવસે એક વખત જનરલ બોર્ડ મળે અને એમાંયે….

જામનગરમાં એક તો 60 દિવસે એક વખત જનરલ બોર્ડ મળે અને એમાંયે….

August 21, 2025
મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

August 21, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

વધુ એક રાઉન્ડ : જામનગર જિલ્લામાં 5 ઈંચ સુધીનો વરસાદ..

August 21, 2025
સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

રેપ અને સાચા પ્રેમ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી : SC

August 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં એક તો 60 દિવસે એક વખત જનરલ બોર્ડ મળે અને એમાંયે….

જામનગરમાં એક તો 60 દિવસે એક વખત જનરલ બોર્ડ મળે અને એમાંયે….

August 21, 2025
મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

August 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®