Mysamachar.in-ગુજરાત:
આજના સમયમાં ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈ મોબાઈલમાં વોટ્સઅપના હોય….! વોટસએપની દુનિયા એટલી વિસ્તરી છે કે તેનો વ્યાપ વધતો જ જાય છે પરંતુ તેના ઉપયોગમાં સાવચેતી ન રખાય તો એકાઉન્ટ હેક થઇ શકે છે હાલના ડીજીટલ યુગમા સુવિધાઓ ખુબ જ છે તેની સાથે જોખમો પણ હોવાનુ નિષ્ણાંતોનુ માનવુ છે, હાલ ભલે ઝડપથી અનુકૂળ સ્થિતિમાં વ્યવહારો થવા લાગ્યા છે. પરંતુ ડિજિટલાઈઝેશનની કેટલીક નકારાત્મક અસર પણ છે. જેમાં ડેટા ચોરી થવા અથવા તો એકાઉન્ટ હેક થવા જેવી નકારાત્મક અસરોનો ભોગ લોકો બનતા હોય છે,
આવી સ્થિતિમાં સોશિયલ માધ્યમોનો સમજી પારખીને ઉપયોગ કરવો હિતાવહ છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં વ્યક્તિના ડેટા લીક થઈ ગયા હોય અથવા તો એકાઉન્ટર હેક થયા હોય. માટે વોટ્સએપ જેવા માધ્યમમાં હેકિંગથી કેવી રીતે બચવું તે સમજવું જરૂરી છે.જો વોટ્સઅપ વેબ ખોલી નથી અને તમે અહીં લોગ ઇન જોયું છે, તો પછી સમજો કે કોઈએ તમારી ચેટ વાંચી છે. સૌ પ્રથમ તો તરત જ તેને લોગ આઉટ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ છે જે વોટ્સએપની આ સુવિધાનો લાભ લે છે.આ એપ્સ દ્વારા વોટ્સએપને એક્સેસ કરશે અને યુઝરને ખબર પણ નહીં પડે.જો કે, આ માટે હુમલાખોરને ટાર્ગેટના ઉપકરણનો ફીઝીકલ ઉપયોગ કરવો પડે છે. સામાન્ય રીતે, લોકો થોડી મિનિટો માટે એકબીજાને મોબાઇલ આપવામાં અચકાતા નથી, પરંતુ કેટલીક વખત આવી બેદરકારી જોખમમાં મૂકી દે છે.
વોટ્સએપને જાસૂસ કરવાની બીજી સરળ રીત એ છે કે ઘણી વખત હુમલો કરનારા ટાર્ગેટના ફોનને એક્સેસ કરે છે. હુમલો કરનાર અહીં કોઈપણ હોઈ શકે છે, તે તમારો અંગત પણ હોઈ શકે છે.અથવા તો દેશના ગમે તે ખુણામાં બેસેલ કોઈ વ્યક્તિ પણ હોય શકે..? ખોટા ઇરાદાથી તમારો ફોન લઈને, તમે તમારા ઇમેઇલમાં સીધા જ ચેટ એક્સપોર્ટ કરી શકે છે. જે માટે કેટલીક સેકન્ડ જ લાગશે.આ કૌભાંડ તાજેતરમાં જ સામે આવ્યું છે, પરંતુ હુમલાખોરો ઘણા સમયથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે. ખરેખર, આ કૌભાંડ હેઠળ, હુમલાખોરો ઇમરજન્સી છે તેવું જણાવે છે. અને યુઝરના મોબાઈલમાં આવેલો otp માંગે છે કહે છે અને યુઝરના ફોન પર પ્રાપ્ત ઓટીપી પૂછે છે. યુઝરને ખ્યાલ પણ નથી રહેતો કે, આ ઓટીપી તમારા વોટ્સએપનું છે, જેનાથી તેઓ એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેવો otp આપશો ત્યારે તરત જ તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ જશે.આ ઉપરાંત હેકારો કેટલાક સ્પાઈ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આવા સોફ્ટવેરને સામાન્ય લોકોને મળતા નથી. આમ આજના સમયમાં સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરવા સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી હોવાનું જાણકારોનો મત છે.