Mysamachar.in-જામનગર
આપણે ત્યાં કેટલાક ઘરેલું નુશ્ખાઓ એવા હોય છે કે જેનાથી કેટલાય રોગોનું નિવારણ અને રોગોને આવતા અટકાવી શકાય છે, એવામાં કોરોનાકાળમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થવા લાગ્યા છે, એવામાં આપણે અનેકવાર સાંભળ્યું હશે કે સવારે ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીવું જોઇએ. આયુર્વેદમાં પણ આ સૂચન આપવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં પણ ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારૂં છે. અને આમપણ કોરોનાકાળમાં ગરમ પાણી પીવાનું કહેવામાં આવે છે.
ગરમપાણીથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.તો ગરમ પાણી પીવાના કેટ કેટલા ફાયદાઓ પણ છે, સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી પેટ એકદમ સાફ થઇ જશે, અને તાજગીનો અનુભવ થાય છે, અને મન દિવસભર તણાવમુક્ત રહેશે. પેટની સમસ્યાઓથી જ આપણા શરીરમાં ઘણી બીમીરીઓ પ્રવેશતી હોય છે. તેને દૂર કરવામાં પણ ગરમ પાણી લાભદાયી છે,
ગરમ પાણી પીવાથી જીભનું સ્વાદ પારખવાનું, ગળામાં રહેલી ગ્રંથિયોના લાળ વગેરે સ્ત્રાવનાં કાર્યમાં સુધારો થાય છે. ગરમ પાણી પીવાથી જઠરમાં પાચનને અંતે યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો ખોરાકનું પાચન થઇ તેની આગળ ગતિ થાય છે. ઘણા લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબૂના રસની સાથે મીઠુ તેમજ મરી પાવડર નાંખીને પીઓ, તેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.
ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે. આ સાથે તેના દરરોજના ઉપયોગથી તમે પણ પોતાના વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. આમ ઘરેલું નુશ્ખાં સમા ગરમ પાણી પીવાથી કેટકેટલાય ફાયદાઓ થતા હોવાનું જાણકારોનું માનવું છે.