Mysamachar.in-સુરતઃ
કહેવાય છે કોઇપણ માણસ પરફેક્ટ હોતો નથી, અનેક લોકો પોતાના દેખાવને કારણે ચિંતામાં રહેતા હોય છે, તો કેટલાક લોકો પોતાના દેખાવને સહજભાવે સ્વીકારી લેતા હોય છે, તો કેટલાક એવા પણ લોકો છે જેઓ મેડિકલ દવાની મદદથી સારો દેખાવ મેળવવાના પ્રયાસો કરતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સુરતમાં એક પરિણીત મહિલાએ પોતાની હાઇટ ઓછી હોવાને કારણે આપઘાત કરી લીધો. ઊંચાઇ વધારવા માટે મહિલાએ અનેક જાત-જાતની આર્યુવેદિક દવાઓ, ફાકીઓ, ચુરણ અને સખત ડાયેટિંગ કર્યા બાદ પણ ઊંચાઈ ન વધી જેથી મહિલાએ ડિપ્રેશનમાં આવી ન ભરવાનું પગલું ભર્યું.
મૃતક મહિલાના પતિ અનવરનું કહેવું છે કે તેની પત્ની છેલ્લા કેટલાક સમયથી ઊંચાઇને કારણે ખૂબ ચિંતીત હતી. તો પરિવારજનોનું કહેવું છે કે પોતાની ઊંચાઈ વધારવા માટે આફરીન માર્કેટમાં મળતા હાઈટ વધારવાના પાવડર લઈ આવી હતી પણ તેમ છતાં તેને કોઈ પરિણામ ન મળતા તે ડિપ્રેશનમાં ગરકાવ થઇ ગઇ અને પોતાના જ ઘરની છતના પંખા ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેનો પતિ અનવર પોતાનો ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવે છે. આફરીને અનવરને બજારમાંથી ટોઈલેટ ક્લિનર લેવા મોકલ્યો હતો અને પોતે અંતિમ પગલુ ભર્યુ હતુ.