• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, August 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી-કેરી-આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો પૂન:સ્થાપિત કરવા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે

My Samachar by My Samachar
May 22, 2021
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી-કેરી-આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો પૂન:સ્થાપિત કરવા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી અસર પામેલા ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના બાગાયતી પાકો-ખેતીને થયેલા વ્યાપક નુકશાનની જાત માહિતી આ વિસ્તારોની વિસ્તૃત મુલાકાત લઇને મેળવી છે, મુખ્યમંત્રીની આ મુલાકાતો દરમ્યાન ધરતીપુત્રોએ પોતાના પુખ્ત વયના લાંબાગાળાના ફળાઉ આંબા, નાળિયેરી જેવા બાગાયતી પાક આપતાં વૃક્ષો આ તીવ્ર વાવાઝોડામાં પડી જઇ નાશ પામ્યાની વેદના અને વિતક વર્ણવી હતી.

રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન:સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યો છે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી-(આંબા)ને ફરી પૂન:સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.

આ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 193 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે. તદઅનુસાર, અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 48, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના 43, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 78 તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના 24 એમ કુલ 193 કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે.

આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન:વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે. કોર કમિટીની આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીમાં ખેતી-બાગાયતી પાકોના નુકશાનીના અંદાજો મેળવવાની પ્રક્રિયા સંદર્ભે પણ વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં આ અંગેની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યું કે, તાઉતે વાવાઝોડાથી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના 41 તાલુકાઓના 2263 ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

રેપ અને સાચા પ્રેમ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી : SC

August 20, 2025
શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

August 20, 2025
જામનગર જિલ્લામાં અડધાથી માંડીને ચાર ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ…

દ્વારકાના કલ્યાણપુરમાં બારેય મેઘ ખાંગા: અગિયાર ઈંચ વરસાદ…

August 20, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર જિલ્લામાં 2 ઈંચ સુધીનો વરસાદ…

August 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

રેપ અને સાચા પ્રેમ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી : SC

August 20, 2025
શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

શાણો નિર્ણય : શાળાઓની મેનેજમેન્ટ કમિટીમાં વધશે જનસમુદાયની ભાગીદારી…

August 20, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®