Mysamachar.in-ગાંધીનગર
આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. જેને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલના ભારત બંધના એલાન પર પત્રકાર પરિષદ યોજીને નિવેદન કર્યું હતું કે, દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત બંધના એલાન પર જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોનો આંદોલનનો ટેકો નથી. કાયદો પાછો ખેંચવાની વાત વાજબી નથી. કોગ્રેસ દરેક વખતે પોતાનું વલણ બદલે છે અને ખેડૂતોને ભ્રમિત કરવાના કોંગ્રેસ કારસો રચે છે. ગુજરાતની પેટાચૂંટણીમાં 8 બેઠકો પર તેમનો પરાજય થયો હતો. ગુજરાતના ખેડૂતોનું કોંગ્રેસને સમર્થન નથી. આવતીકાલે ગુજરાતમાં બધુ જ ચાલુ રહેવાનું છે. આમ છતાં કોઈ બંધ કરાવવા માટે બળજબરી કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેવોએ કહ્યું.