Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના અધિક નિયામક જાહેર આરોગ્ય દ્વારા રાજ્યના તમામ કમિશ્નર કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. હાલમાં પ્રજાજનો ધ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે કોરોનાના વિષાણુઓ સામે પુરતું રક્ષણ આપતા નથી ભારત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ધ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. આથી આપના વિસ્તારમાં તમામ પ્રજાજનો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવા અને વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.