Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સહિત દેશભરમાં હાલ લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે લાંબા સમયથી મજૂરી વગરના તેમજ રોજનું કમાઈને ખાનારા પરિવારો ભારે વિમાસણમાં મુકાઈ ગયો હોવાની વાસ્તવિકતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 20 એપ્રિલથી શરતોને આધીન અલગ-અલગ ઉધોગો તેમજ રોજે-રોજનું કામ કરતા પ્લમ્બર મિકેનિક સહિતના વર્ગોને રોજગારી મળી રહે તે માટે કેટલીક શરતોને આધીન છૂટ આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ફેક્ટરી ઉદ્યોગકારોએ તેમના કામદારો માટે આરોગ્યલક્ષી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ બાંધકામ ઉદ્યોગ માટે વહીવટી તંત્રની મંજૂરી સાથે મજુર લોકોને સાઇટ પરની જગ્યા પર જ રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવાની રહેશે આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં મનરેગા હેઠળના કામો પુનઃ કાર્યરત કરાશે તેમજ રાજ્યના 39 માર્કેટિંગ યાર્ડમાં પણ ચુસ્ત નિયમોનું પાલન કરવાની સાથે શરૂ કરાશે દરેક કારીગર મજૂરો સહિતના લોકોએ મોઢા ઉપર માસ્ક તેમજ સોશિયલ distance સહિત નું પાલન કરવાનું રહેશે
રાજ્ય સરકાર દ્વારા જે જે વિસ્તારમાં કોરોનાના કેસ નું પ્રમાણ ઓછું હશે તેવા વિસ્તારોમા છૂટછાટ આપવામાં આવશે તેમજ જે વિસ્તારમાં આ વાયરસનો ફેલાવો વધુ પ્રમાણમાં હશે તેવા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવાની સાથે લોકોને અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાશે અને જો લોકોએ નિયમોનો ભંગ કર્યો તો આકરો દંડ વસૂલવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે.