Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, પણ તેમાં હરખાવવા જેવું નથી, આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં કોઈ કેસ પોજીટીવ નોંધાયેલ નથી, પરંતુ વડોદરામાં એક પુરુષનું મોત થયાનું તેમને જણાવ્યું, અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા 87 સુધી પહોચી છે, અને આગામી ચાર પાંચ દિવસ ગુજરાત માટે ખુબ મહત્વના હોવાનું પણ જયંતિરવિએ પત્રકાર પરિષદમાં કહ્યું, 87 કેસો પૈકી અમદાવાદમા 31, સુરત 12, રાજકોટ 10, વડોદરા 9, ભાવનગર 6, પોરબંદર 3, ગીરસોમનાથ 2, કચ્છ, મહેસાણા, પંચમહાલમાં એક એક કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 87 સુધી પહોચી છે.