Mysamachar.in0ગાંધીનગર:
કોરોના વાયરસનો ખતરો ગુજરાતમાં પણ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અને અત્યારસુધીમાં રાજ્યમાં 5 દર્દીઓના મોત કોરોના પોજીટીવને કારણે થયા છે, આજે ગુજરાતમાં 3 નવા કેસો પણ નોંધાયા છે, નવા 3 કેસો સહીત હવે ગુજરાતમાં કોરોના પોજીટીવનો આંક 58 સુધી પહોચી ચુક્યો છે, જે કેસો નોંધાયા છે તેમાં અમદાવાદમાં 21, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરા અને ગાંધીનગરમાં નવ-નવ કેસ અને ભાવનગર, કચ્છ, મહેસાણા, ગીરસોમનાથ 1-1 કેસ નોંધાયા હોવાનું સતાવાર આપવામાં આવેલ માહિતીમાં સામે આવ્યું છે.