Mysamachar.in-ગાંધીનગર:
કુપોષણ નાબુદીની નેતાઓની મસમોટી ગુલબાંગો વચ્ચે હાલ ચાલી રહેલા રાજ્યના બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, 9 જુલાઈ 2019ના રોજ રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 કુપોષિત બાળકો હતા. જે 27 ફેબ્રુઆરી 2020ના રોજ 3 લાખ 83 હજાર થયા છે. આમ છેલ્લા 6 મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં 2 લાખ 41 હજાર 698નો વધારો થયો છે. જેમાં જામનગર જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૧૫૪ જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨૬૦૩ બાળકો કુપોષણ થી પીડાઈ રહ્યા છે.