Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં વર્ષ 2018ના અકસ્માતના આંકડા સામે આવ્યા છે, જેમાં એક વર્ષમાં માર્ગ અકસ્માત કુલ 8574 લોકોના મોત થયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં સૌથી વધુ 5972 લોકોનાં મોત ઓવરસ્પીડના કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે. વધુ પડતી સ્પીડના કારણે અકસ્માતના એક વર્ષમાં 13941 કેસ નોંધાયા જેમાંથી 13148ને ઈજા થઈ હતી. આમ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ અકસ્માતમાં જીવ ગૂમાવે છે. નશામાં વાહન અકસ્માતમાં 1 વર્ષમાં 300 કેસ નોંધાયા હતા. જેમાંથી 296 ઘાયલ થયા હતા. ડ્રંક એન્ડ ડ્રાઇવમાં ગુજરાતમાંથી કુલ 122 લોકોના મોત થયા છે. ડ્રાઇવરને થાક લાગતા 66, વાહનમાં ખામી સર્જાતા 149, રસ્તા પર પ્રાણી વચ્ચે આવતા 79, ખરાબ વાતાવરણથી 179, લો વિઝિબિલિટીથી 119 અને ખરાબ રોડના કારણથી 54 લોકોના મોત થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.