Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં શિક્ષણનું જીવન ધોરણ ઉંચું લાવવા માટે અનેક અભિયાનો ચાલ્યા અને ચાલી રહ્યાં છે, તેમ છતા વાલીઓ કેમ સરકારી સ્કૂલોની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલમાં કેમ પોતાના બાળકોને ભણાવી રહ્યાં છે. સરકારી શાળામાં શું શિક્ષણનું સ્તર હજું સુધી ઉંચું આવ્યું નથી ? એવામાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળા બાદ હવે માધ્યમિક શાળા મર્જ કરવાની દિશામાં વિચારણા શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે 30 કરતાં ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી હોય તેવી 160 જેટલી સરકારી માધ્યમિક શાળાઓને મર્જ કરવામાં આવશે.
થોડા સમય પહેલા જ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ કેટલાક શહેરી વિસ્તારોમાં નજીકના વિસ્તારમાં વિદ્યાર્થીની ઓછી સંખ્યા હોવા છતા સરકારી પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે. જેના કારણે શિક્ષકોનું મહેકમ પણ વધ્યું હતુ. જેથી ગત વર્ષથી આવી સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. પહેલા ૧૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ગુરુજનોમાં વિરોધને પગલે ૩૦થી ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી સ્કૂલોને મર્જ કરવાનો નિર્ણય લેવાયો, પરંતુ આગામી દિવસોમાં માધ્યમિક શાળાઓને મર્જ કરવા માટે શિક્ષણ ખાતાના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં 160 જેટલી હાઇસ્કૂલો હોટલિસ્ટમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો મર્જ કરવા પાછળ શિક્ષકો તથા સ્કૂલનો ખર્ચ વધારે હોય જે ઓછો કરવાનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય ત્યાં સંખ્યા વધારવા માટે કેમ પ્રયાસો થઇ રહ્યાં છે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ આંકડાં પણ જગજાહેર છે. સ્કૂલો મર્જ કરવાની સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોને થશે, બીજી જગ્યાએ સ્કૂલ મર્જ કરવાથી બાળકો પર તેની અસર સીધી અસર પડી શકે છે, જેમાં સૌથી મોટો ભય ડ્રોપઆઉટ રેશિયાનો છે. કેટલાક બાળકો શિક્ષણ છોડી પણ શકે છે. !