Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ જી.જી હોસ્પીટલમાં નવી બિલ્ડીંગના ત્રીજા માળે માનસિક રોગોનો વોર્ડ આવેલ છે આ વોર્ડમાં ગતરાત્રીના એક મહિલાનું મોત થયા બાદ પરિવારજનો દ્વારા અન્ય દાખલ મહિલા દર્દીએ તેમના પરિવારના સભ્ય એવા મૃતક મહિલાનું ગળું દબાવી મોત નિપજાવ્યાનો આક્ષેપ કરતા આ મામલો તપાસનો વિષય બન્યા છે આ અંગે મળતી વિગતો મુજબ..
જી.જી હોસ્પિટલના માનસિક વોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી સારવાર લઇ રહેલ એક મહિલા મધુબેન અશોકભાઈ ભટીજાણી નામની 40 વર્ષીય મહિલાનું ગતરાત્રીના મોત નીપજ્યું હતું, પોલીસે નોંધ્યું છે કે મરણ જનાર મહિલા છેલ્લા 25 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને ગતરાત્રિના જી.જી હોસ્પીટલમાં સારવાર દરમિયાન કોઈપણ કારણોસર મોત થયાનું પોલીસે નોંધ્યું છે કે જો કે મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે અન્ય દાખલ મહિલા દર્દીએ મધુબેનનું ગળું દબાવતા તેણીનું મોત નીપજ્યું છે, આક્ષેપ થતા આ મહિલના મોત પાછળ સાચું કારણ શું તે જાણવા માટે હવે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને વધુમાં આ મામલે પોલીસ પણ જરૂરી તપાસ શરુ કરી હોવાનું જાણવા મળે છે.