• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, December 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખુદ મનપાના ડે.મેયરે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે સરકારના પરિપત્રનું જામનગર મનપામાં જ થાય છે ઉલ્લંઘન 

My Samachar by My Samachar
June 12, 2022
in જામનગર
Reading Time: 1 min read
A A
ખુદ મનપાના ડે.મેયરે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે સરકારના પરિપત્રનું  જામનગર મનપામાં જ થાય છે ઉલ્લંઘન 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જયારે વિપક્ષ અવાજ ઉઠાવે તો એવું કહી દેવામાં આવે છે કે આ વિરોધ ખોટો છે અથવા વિપક્ષનું કામ જ આવું કરવું છે, પણ જનતાના હિતની વાત હોય સંસ્થાના હિતની વાત હોય ત્યારે ખુદ શાશકપક્ષના પદાધિકારી જ અવાજ ઉઠાવે અને મુખ્યમંત્રી સુધી મામલો લઇ જાય તો..આ વાત બિલકુલ વાસ્તવિક છે અને જામનગર મનપાના હાલના ડેપ્યુટી મેયર તપન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી અને મનપામાં સરકારના નિયમોનો ઉલાળિયો થાય રહ્યો છે ત્યારે શું કોઈ પગલા લેવાશે ખરા..?

જામનગર મહાનગરપાલિકામાં સને 2015 ના જનરલ સેટઅપ મંજૂર થયેલ અને મંજૂર થયેલ સેટઅપમાં નિયત થયેલ લાયકાત અનુસાર ભરતી અને બઢતી કરવાની રહે છે. જેની સામે 2015 થી અત્યાર સુધીમાં સેટઅપ થી વિરૂધ્ધ ભરતી બઢતી કરવામાં આવેલ છે.જામનગર મહાનગરપાલિકામાં ભરતી બઢતી ના કોઈ જ નિયમો મંજૂર થયેલ નથી. આ ઉપરાંત સિનિયોરીટી ના નિયમો પણ કોઈ જ મંજૂર થયેલ નથી તેમજ રોસ્ટર રજીસ્ટરો પણ સરકારના નિયમો અનુસાર ના બનાવેલ ન હોય અને આ બાબતે સરકાર દ્વારા પણ સાચા રોસ્ટર રજીસ્ટરો બનાવી રજૂ કરવા જણાવેલ હોય તેમ છતાં પણ વહિવટ ધ્વારા પાછલા બારણે થી લાગતાં-વળગતાંઓને ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે. મંજૂર થયેલ સેટઅપમાં સિસ્ટમ એનાલીસ્ટ ક્મ સિનિયર પ્રોગ્રામર માટે સીધી ભરતીથી જ લાયકાત મંજૂર થયેલ છે. બઢતી માટેના કોઈ જ ધોરણો નિયત થયેલ નથી. તેમ છતાં પણ આ જગ્યા ઉપર બઢતી આપવામાં આવેલ છે. એ જ રીતે ડેપ્યુટી ચીફ ફાય૨ ઓફીસરમાં પણ સીધી ભરતીથી જ ભરવા લાયકાત નિયત થયેલ છે, તેમ છતાં પણ આ જગ્યા ઉપર બઢતી આપવામાં આવેલ છે.

સને 2015 થી અત્યાર સુધી સીનીયર કલાર્ક, સ્ટે. આસીસ્ટન્ટ, સિસ્ટમ એનાલિસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર, જુનીયર એન્જીનીયર, નાયબ ઈજનેર,  એવી અનેક પોસ્ટ ઉપર બઢતીઓ આપવામાં આવેલ છે. જેમાં કયાંય પણ સીધી ભરતી અને બઢતી નો રેશિયો જાળવવામાં આવેલ નથી. રોસ્ટર ક્રમાંક ધ્યાનમાં લેવામાં આવેલ નથી. સિનિયોરીટી લીસ્ટ પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી.જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતાં કર્મચારીઓને અન્યાય કરી લાગતા વળગતાઓને પાછલે બારણેથી ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે. આ બાબતે ધો૨ણસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ત્યા૨બાદ સાચી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે, સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર ની જગ્યા ઉપર આપવામાં આવેલ બઢતી રદ કરવા માંગ કરાઈ છે, અને તેની વિસ્તૃત વિગતો કમિશ્નર પાસેથી માગવામાં આવી છે, 

પ્રોગ્રામર તરીકે ફરજ બજાવતાં જાહનવી એમ. ઠાકરને સિસ્ટમ એનાલીસ્ટ ક્રમ સિનીયર પ્રોગ્રામર તરીકે બઢતી આપવામાં આવેલ છે. આ બઢતીએ ગેરકાયદેસર હોય ત્વરીત અસ૨થી આ હુકમ રદ કરવા પણ માંગની કરવામાં આવી છે, જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ ધ્વારા જનરલ સેટઅપ મંજૂર થયેલ છે જેમાં સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પોગામર એ માત્ર ને માત્ર ભરતી જ ભરવા બાબતે ના ધોરણો અને લાયકાત નિયત થયેલ છે. બઢતી થી જ ભરવા બાબતેના કોઈ જ ધોરણો અને લાયકાત નિયત થયેલ નથી. તેમ છતાં પણ આ જગ્યા બઢતી થી ભરવામાં આવેલ છે.પ્રોગામરને સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામરની જગ્યા ઉપર કયા ધો૨ણે પ્રમોશન આપવામાં આવ્યુ. તેઓની કામગીરીનું મુલ્યાકન કોના દ્વારા કરવામાં આવ્યું કેમ કે, જામનગર મહાનગરપાલિકાનો રેકર્ડ અનુસાર પ્રોગ્રામર દ્વારા એવું જ કોઇ જ એક્સ્ટ્રા ઓર્ડીનરી કામ કરેલ હોય તેવું જણાતું નથી.

-મુખ્યમંત્રીને લખેલ પત્રમાં ડેપ્યુટી મેયરે ગંભીરતાથી લખ્યું છે કે….
જામનગર મહાનગરપાલિકામાં નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓને ફરી કોન્ટ્રાકટ બેઇઝમાં કમિશ્નરની નોંધ અને સ્ટે.કમિટીની મંજુરીથી નિમણુંક આપવામાં આવે છે તે સંદર્ભના સરકારના પરિપત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે કે, નિવૃત કર્મચારીઓને ફરીથી પુનઃ નિયુકતિ, કોન્ટ્રાક્ટર બેઇઝ/ફીક્સ પગાર/આઉટ સોર્સીંગ થી નોકરી પર પુનઃ લેવામાં આવે ત્યારે સરકારના લગત વિભાગની જરૂરી પૂર્વ મંજુરી મેળવ્યા બાદ જ તેઓને આવી નિમણુંક આપી શકાય. આવું સ્પષ્ટ ગુજરાત સરકારના પરિપત્રમાં ઉલ્લેખ કરેલ છે. તેમ છતાં આવી નિમણુંકો આપવા અંગેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી ચાલું છે. જો આ કર્મચારી/અધિકારીની જરૂરીયાત હોય તો કયા કારણોસર સરકારની પૂર્વ મંજુરી લીધેલ નથી.

આ અંગે સરકારના પરિપત્ર અનુસાર કોઇપણ જાતની પૂર્વ મંજુરી લીધેલ ન હોય તેવું સ્પષ્ટ જણાય છે. તો આ બાબતે આપના લેવલે તાત્કાલિક સંદર્ભના પરિપત્રની અમલવારી કયા કારણોસર જામનગર મહાનગરપાલિકામાં થતી નથી. અને આ સરકારની પૂર્વ મંજુરી વગર પુનઃ નિયુક્તી કોન્ટ્રાક્ટ બેઇઝ/કરાર આધારીત/આઉટ સોર્સીંગથી જે-જે કર્મચારી અધિકારીને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે નિમણૂંક આપેલ હોય, તે રદ થવાને પાત્ર હોય તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી કાર્યાલયથી કાર્યવાહી થાય તેવી માંગની કરી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

નાબાર્ડનો સર્વે કહે છે: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો બચત કરી શકતાં નથી…

રાજ્યમાં રૂ. 43,000 કરોડના પ્રોજેક્ટમાં વિલંબ:આ રહ્યા કારણો…

December 13, 2025
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

વિવાદાસ્પદ લખાણો સંબંધે રૂ. 100 કરોડના માનહાનિના દાવાથી સનસનાટી..

December 13, 2025
કોરોના વાઇરસથી બચવા માંગો છો? તો તમારે રાખવું પડશે આ  વાતોનું ખાસ ધ્યાન

કોરોના ભારત-ગુજરાતમાં છે, કેસ અને મોતના આંકડા જાહેર..

December 13, 2025
જામનગર : દુષ્કર્મનો હાઈ પ્રોફાઇલ કેસ : તપાસ ‘ખાનગી’ !!

દુષ્કર્મ કેસ : જામનગરના વિશાલ મોદીની ધરપકડ કરવી હોય તો…

December 12, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

નાબાર્ડનો સર્વે કહે છે: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો બચત કરી શકતાં નથી…

રાજ્યમાં રૂ. 43,000 કરોડના પ્રોજેક્ટમાં વિલંબ:આ રહ્યા કારણો…

December 13, 2025
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

વિવાદાસ્પદ લખાણો સંબંધે રૂ. 100 કરોડના માનહાનિના દાવાથી સનસનાટી..

December 13, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®