• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરના આંગણે યોજાનારી પૂજ્ય ભાઈજીની ભાગવત સપ્તાહની તડામાર તૈયારીઓ

My Samachar by My Samachar
April 29, 2022
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગરના આંગણે યોજાનારી પૂજ્ય ભાઈજીની ભાગવત સપ્તાહની તડામાર તૈયારીઓ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

My samachar.in:-જામનગર

છોટીકાશી થી પ્રચલિત એવા જામનગરના આંગણે આગામી રવિવારને 1લી મેથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા જાડેજા) ના પરિવાર તેમના માતૃ મનહરબા મેરૂભા જાડેજાના આશીર્વાદથી સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઇજી) ના વ્યસાસને ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે..

જામનગરની મધ્યે આવેલા વિશાળ પ્રદર્શન મેદાનમાં વિશાળ કથા મંડપ ઉભો કરાયો છે, જ્યાં ભવ્ય વ્યાસપીઠની રચના કરી લેવાઇ છે. ત્યાંથી પૂજ્ય ભાઇજી કથાનું રસપાન કરાવશે.જેની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત કથામંડપમાં એકી સાથે 50 હજારથી પણ વધુ શ્રોતાગણ બેસી શકે અને કથાનું શ્રવણ કરી શકે, તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરી લેવાઈ છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કથા મંડપમાં શ્રોતાઓને ગરમીનો જરા પણ અહેસાસ ન થાય, તે માટે પંખા- કુલર સહિતની પણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે. અમરેલીના પટેલ મંડપ સર્વિસ ની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે..

– અન્નપૂર્ણા ભોજનશાળામાં પણ પ્રતિદિન 40,000 લોકો માટેની પ્રસાદની વ્યવસ્થા ગોઠવાઇ 

ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહમાં આવનારા શ્રોતાગણ માટે પ્રતિદિન મહા પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેના માટે ડી.સી.સી. હાઇસ્કૂલના મેદાનમાં મોટો સમીયાણો ઊભો કરીને અન્નપૂર્ણા ભોજનશાળા બનાવી લેવામાં આવી છે.સૌપ્રથમ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા અન્નપૂર્ણા ની પૂજન વિધિ કરી લેવાયા પછી ત્યાં અન્નપૂર્ણા માતાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે..

જ્યાં અન્નપૂર્ણા માતાની પ્રતિદિન પૂજા થાય છે, જ્યારે પ્રતિદિન 40થી 50 હજાર લોકો એકીસાથે મહા પ્રસાદ લઇ શકે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અને એક હજારથી વધુ સ્વયંસેવકો તેના માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.જેના માટે ચંપકલાલ સહિતની ટીમ પ્રસાદની વ્યવસ્થા નિહાળી રહી છે, અને કથા પ્રારંભના પ્રથમ દિવસથી જ શ્રોતાગણો પ્રસાદ લઇ શકે, તે માટે ની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જ્યાં પણ પંખા-કુલર સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે. જામનગરના આંગણે 12 વર્ષ પછી યોજાઇ રહેલી ભાગવત સપ્તાહ ને લઈને જામનગરના અનેક યુવાનોમાં પણ ભારે ઉત્સાહ ભર્યુ વાતાવરણ છે, અને સ્વયંસેવકોની મોટી ટિમ સ્વયંભૂ આ ભગવદીય કાર્યમાં જોડાઇ રહયા છે..

-ભાગવત સપ્તાહના સુચારુ આયોજન માટેની મહત્વની અંતિમ બેઠક

જામનગરના આંગણે પ્રારંભ થઇ રહેલી પૂ.રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આવનારા શ્રોતાગણને કથાનું રસપાન કરવા માટેની વ્યવસ્થા જળવાઈ રહે, ઉપરાંત તમામ માટેની પ્રસાદ વ્યવસ્થા, તથા રાત્રિ કાર્યક્રમ સહિતના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે તમામ સેવાભાવી કાર્યકરોની એક અંતિમ મહત્વની બેઠક આજે સાંજે યોજાવા જઇ રહી છે.સમગ્ર ભાગવત સપ્તાહના સુચારૂ સંચાલન અને આયોજન માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાંજે છ વાગ્યે ડી.સી.સી. ગ્રાઉન્ડમાં આ બેઠક યોજાશે. જેમાં 2000થી વધુ સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહેશે, અને સમગ્ર ભાગવત સપ્તાહના તમામ કાર્યક્રમોનું સુચારુ સંચાલન થાય તે માટેની અલગ અલગ ટીમોને જુદા જુદા કામ ની ફાળવણી કરી દેવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®