My samachar.in:-જામનગર
આર્થિક સંકડામણમાં આવેલ માણસ કાઈપણ કરવા માટે તૈયાર થઇ જાય છે, કારણ કે તેની પાસે અન્ય કોઈ રસ્તાઓ ખુલ્લા નથી હોતા, જામનગરમાં પણ એક પરિવાર સાથે કઈક આવું જ થયું હતું, ગત તા 11/3/2022 ના રોજ ગોકુલનગર રડાર રોડ ઉપર બજરંગ ડાઇનિંગ હોલ ચલાવતા અરવિંદભાઈ નિમાવત અને તેના પત્ની શિલ્પાબેન પુત્ર કરણ.તથા રણજીત. તથા પુત્રી કિરણબેન તેના ઘર ખુલ્લા મુકી ગુમ થઈ જતા તેના મિત્રોને જાણ થતા અરવિંદભાઈના સાળા નરેન્દ્રભાઈ રાજકોટ વાળાએ આ અંગેની મતબલ કે સમગ્ર પરિવાર ગુમ થયાની જાહેરાત સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં કરેલ હતી..
આ પરિવાર ગુમ થવાની તપાસ સીટી સી પો.સ્ટે. ના પી.આઇ. કે.એલ. ગાધે, એલસીબીના પીએસઆઇ દેવમુરારી, સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટીમના માણસોએ છેલ્લા અઠવાડીયાથી કર્ણાટક રાજ્યના બેંગ્લોર અને આજુબાજુ વિસ્તારમાં ગુપ્ત રાહે માહિતી એકત્રીત કરી ચોક્કસ લોકેશનના આધારે બેંગ્લોરના બાયપાસ-2, ક્રોસ રોડ ગીચ વિસ્તારમા ભાડાના મકાનમા રહી હોટલમાં વેઇટરનુ કામ કરતા ગુમ થયેલ પરીવારને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી….
આ ગુમ થયેલ પરીવારનો કોરોના કાળમા હોટલનો ધંધો ન ચાલતા સગાવહાલા અને નજીકના મિત્રો પાસેથી હોટલ ચલાવવા માટે હાથ ઉછીના રુ. આશરે 14-15 લાખ લીધેલ હોય તે રુપિયા ચુકવી શકે તેમ ન હોય આર્થિક સંકડામણને કારણે કર્ણાટક જતા રહેલ છે, હાલ તેઓ સુરક્ષિત જગ્યાએ પરીવાર સાથે હેમખેમ હોવાનું જાણવા મળે છે.