Mysamachar.in-જામનગર:
જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ ગતરોજ વોટર વર્કસ શાખા કાર્યપાલક ઈજનેર તથા નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓને સાથે રાખીને ખિજડીયા ફીલ્ટર પ્લાન્ટ ખાતે ઉનાળાની પાણી વિતરણની પ્રિ-પ્લાનીંગના ભાગરૂપે મુલાકાત લીધેલ હતી, દરમ્યાન કમિશ્નર દ્વારા આગામી ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી હોય અને શહેરીજનોને પીવાના પાણીમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જામનગર શહેરને પાણી પુરૂ પાડતા ડેમોમાં રહેલ પાણીનો જથ્થો અને ડેમોની હાલની સ્થિતિ મુજબ જુલાઈ-2022 સુધી શહેરીજનનો નિયતમાત્રામાં એકાંતરાના ધોરણે રેગ્યુલર પાણી વિતરણ થાય તેવા હેતુસર જરૂરી માર્ગદર્શન આપીને આગામી ઉનાળા દરમ્યાન પીવાના પાણીમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે સરકાર હસ્તકના ઈરીગેશન તથા એન.સી.-8 (નર્મદા) રોજના વિભાગો સાથે જરૂરી પત્ર વ્યવહાર કરીને સંકલન માટેની જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.