Mysamachar.in-જામનગર:
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ એટલે કે PGVCLમાં છેલ્લા 10 વર્ષેથી ઘરેધરે વીજબીલો બજવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા, જેના કારણે કરોડો રૂપિયાનો બોજો વીજ કંપની પર પડી રહ્યો હોવાના અભ્યાસ બાદ PGVCLના MD વરુણ બરનવાલે કોન્ટ્રાકટ પદ્ધતિ દૂર કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી રહી છે, વીજ કર્મીઓનું સ્ટ્રેન્થ હોવા છતાં કોન્ટ્રાકટના માણસો વીજબિલ દેવા જતા હતા, જે કોન્ટ્રાકટ પદ્ધતિ પૂર્ણ કરીને તારીખ 1 ફેબ્રુઆરીથી વીજ કંપનીનો સ્ટાફ વીજ બિલિંગ કરવા ધરે ધરે જશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ આ હુકમની અમલવારી થશે.આ વાતને જામનગર PGVCL અધિક્ષક ઈજનેર કે.આર.પરીખે પણ પુષ્ટિ કરી છે.