Mysamachar.in-જામનગર:
શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય તેવો કિસ્સો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં સરકારી ફિઝીયોથેરાપી કોલેજના સામુહિક રેગીંગની ફરિયાદ બાદ એન્ટી રેગીંગ કમિટીની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે જુનીયર વિદ્યાર્થીઓનું સીનીયર વિદ્યાર્થીઓએ રેગીંગ કર્યાનું કમીટીએ તારણ કાઢી અને રીપોર્ટ સોપી દીધો છે.અને આ અંગે રેગીંગ કરનાર સીનીયરો સામે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે,
આ અંગે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દિનેશ સોરાણી કહે છે કે રેગીંગ થયાનું સામે આવતા રેગીંગ કરનાર વિદ્યાર્થીઓને અલગ અલગ સજા કરવામાં આવી છે જેમાંથી અમુકને કાયમી હોસ્ટેલમાંથી નિકાલ તો અમુકને તેના વર્તન ના સુધરે ત્યાં સુધી રીઝલ્ટ અટકાવી રાખવામાં આવશે જો કે આવી ઘટનાના બને તે માટે તમામ પગલા હોસ્ટેલમાં લેવાતા હોવાનું ગાણું ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ગાઈ રહ્યા છે જો ખરેખર આવા પગલા ભરાયા હોય તો સીનીયર વિદ્યાર્થીઓ આવું કરવાની હિમ્મત જ ના કરે તેમ આંતરિક સુત્રો જણાવે છે.
એ મામલો શું હતો તે આપને ફરી યાદ અપાવીએ કે સેકન્ડ યર બોયસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદ મળી મળી કે તેમના સીનીયર ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ મોડીરાત્રીના પરિચયના નામે જુનીયરને બોલાવી અને હેરાન કરવામાં આવે છે, બીજા વર્ષના 28 જુનીયર વિદ્યાર્થીઓ છે જેને 15 સીનીયર વિદ્યાર્થીઓ સામે રેગીંગની ફરિયાદ કરી છે.અને મોડીરાત્રે જુનીયરને પરિચયને નામે બોલાવામાં આવતા હતા, અને પરેશાન કરતા હતા.અને આ મામલે ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીની તપાસના અંતે રેગિંગ થયાનું સામે આવ્યું છે.