Mysamachar.in-જામનગર
લોકોના હિતમાં Mysamachar.in સતત અવાજ ઉપાડતું રહ્યું છે અને હજુ પણ ઉઠાવશે..માટે જ અમે દરેક રાશનકાર્ડ ધારકોને ચેતવીએ છીએ કે આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રેગ્યુલર એટલે કે જે દરમહિને માલ મળતો હોય પૈસા આપીને તે બન્નેનું વિતરણ એકી સાથે થવાનું છે, એટલે કે જે લાભાર્થી હશે તેને એક જથ્થો પૈસાથી જયારે એક જથ્થો સાવ મફતમાં મળવાનો છે, અને અંગુઠાનું નિશાન એક જ વાર લેવામાં આવશે, ત્યારે જાણકારોએ કહ્યું છે કે લોકો ધ્યાન આપે અને બન્ને અનાજનો જથ્થો મેળવે જો કોઈ એક જથ્થો મેળવશે તો પણ તેને જે જથ્થો નથી લીધો તે બારોબાર પગ કરી જશે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે. (જો કે આવું બધે ના પણ થાય) માટે રાશનકાર્ડ ધારકોએ પોતે જાગૃત થવું પડશે અને પોતાને થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે.
એવામાં જો તમને ના મળે અનાજનો પુરતો જથ્થો, અન્યાય થતો હોય તેવું લાગે તો તમે દુકાનદારને ત્યાર બાદ મામલતદાર પુરવઠા અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો, જો કે પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ કેટલાય સસ્તા અનાજના દુકાનદારો આ માલ બારોબાર વેચી મારવા હવાતિયા મારશે, ત્યારે દરેક રાશનકાર્ડધારક જાગૃત થાય તે જરૂરી છે, જો દુકાનદાર તમારી સાથે અન્યાય કરતો હોય તેમ લાગે તો પુરવઠા તંત્ર કાઈ ના કરે તો અમારા સુધી તમારી ફરિયાદ અમારા સુધી પહોચાડવા પણ આપને આહવાન કરીએ છીએ.