Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના સહકાર ક્ષેત્રનો વ્યાપ વર્ષોથી નોંધપાત્ર છે પરંતુ અમુક મંડળીઓ કે સંસ્થાના ગોટાળાના કારણે સમગ્રપણે બધુ જ બરાબર નહી હોય તો? તેવી આશંકાઓ જન્મે છે અને થયુ પણ એવુ જ કે ઘણી મંડળીઓ ફડચામા ગઇ કારણ કે નિયમિત ઓડીટ થાય કે ચેકીંગ થયા રાખે તો સમયસર સુધારો આવી શકે પરંતુ જામનગરની જિલ્લા સહકારી કચેરીમા પુરતા ઓડીટર જ નથી, જિલ્લા રજીસ્ટ્રાર કચેરી હસ્ત કુલ 752 મંડળીઓ નોંધાયેલી છે. જેમાંથી 106 દુધના વ્યવસાય સાથે સંકળાયેલી મંડળીઓ નોંધાયેલી છે. તેમજ 8 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી 65 મંડળીઓ આવેલી છે ત્યારે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં 7 ઓડિટરોની વચ્ચે માત્ર એક જ જગ્યા ઉપર ઓડીટર છે.
વળી જુદી-જુદી 752 મંડળીઓ નોંધાયેલી છે જેમાંથી 8 કરોડથી ઉપરનું ટન ઓવર ધરાવતી 65 મંડળીઓ નોંધાયેલી છે. આ મંડળીઓનો ઓડિટ કરવાનું કામ રાજકોટ કચેરી હસ્તક થાય છે. 752 જેટલી જુદી-જુદી મંડળીઓને ધ્યાનમાં રાખી જે-તે સમયે કચેરીનો મહેકમ 7 ઓડિટરોનું મંજૂર થયું હતું. જેથી કરીને કોઇ પણ મંડળીઓનો ઓડિટ રિર્પોટ ઝડપથી વર્ષે થઇ શકે. પરંતુ 7 જગ્યાઓમાંથી એક જ ઓડિટરની જગ્યા ભરાયેલ છે. 6 જગ્યાઓ ઓડિટરની ખાલી રહી છે. જેને લઇને મંડળીઓનો ઓડિટ રિર્પોટ કરાવવામાં મંડળીઓના સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે થઇને રાજય સરકાર દ્વારા મંડળીઓના ઓડિટ કરવા માટે થઇને નિવૃત્ત થયેલા કર્મચારીઓને, રજીસ્ટ્રાર થયેલા સી.એ.ને જવાબદારી સોંપવામાં આવે છે.
જામનગર જિલ્લામાં કર્મચારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, શરાફી મંડળીઓ, ગ્રાહક સહકારી મંડળીઓ, ગ્રાહક સહકારી ભંડાર વિગેરે સહકારી ક્ષેત્રે કામ કરતા મંડળીઓ કાર્યરત છે. આવી કાર્યરત મંડળીઓના ઓડિટ રિર્પોટ કરવા માટે રાજય સરકાર દ્વારા રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢથી ખાસ ઓડિટરોની નિમણુંક ઓડિટ રિર્પોટ કરવા માટે કરવામાં આવી હતી, ત્યારે મંડળીઓના ઓડિટ રિર્પોટ દરમ્યાન 65 મંડળીઓનો ઓડિટ રિર્પોટ મંડળી ફડચામાં ગઇ હોવાનું જાહેર થયું છે.