Mysamachar.in-જામનગર
આજે જામનગર ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહર્ત માટે જામનગર ખાતે આવેલ મુખ્યમંત્રીએ જામનગરને વધુ એક ભેટ આપી છે, જે અંગે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં સ્પોર્ટ્સ મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, અને તે સ્પોર્ટ્સ મ્યુઝીયમ જામનગર ખાતે શ્રી સર રણજીતસિંહજીના નામથી આ સ્પોર્ટ્સ મ્યુઝીયમ આકાર પામશે અને તેમાં વિવિધ રમતવીરોની સ્મૃતિઓ જળવાશે અને એક આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝીયમ અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન આપનાર હશે તેવી જાહેરાત આજે મુખ્યમંત્રીએ કરી છે.