Mysamachar.in-જામનગર
રાજ્યભરમાં હાલ કોરોના મહામારી ચાલી રહિ છે, અને દરેક પ્રસંગો પણ સીમિત લોકોની હાજરીમાં ઉજવવાની માંડ મંજુરી છે ત્યાં જ જામનગર શહેરમાં આવેલ આરામ હોટેલમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરી ક્રિએટીવ એક્ઝીબીશનમાં ભારે ભીડ એકત્ર થઇ રહી હોવાની માહિતી મળતા મનપાની એસ્ટેટ વિભાગની ટીમના રાજભા ચાવડા, સુનીલ ભાનુશાળી આ એક્ઝીબીશન બંધ કરાવવા ટીમ સાથે આરામ હોટેલમાં પહોચ્યા હતા, ટીમ બંધ કરાવવા માટે પહોચતા પહેલા તો મનપાના સ્ટાફ સાથે રકઝક ચાલી બાદમાં પોલીસને બોલાવવાની ફરજ પડી અને અંતે આરામ હોટેલમાં ચાલી રહેલ આ એક્ઝીબીશન બંધ કરાવી અને મનપાની ટીમે આગળની દંડનીય સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.