Mysamachar.in-જામનગર
વ્યક્તિત્વ ક્યારે નિખરે જ્યારે તેમાંના સદગુણ અને સિદ્ધી બોલે વ્યક્તિ ન બોલે, જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રોફેસરે એવી સફળતા મેળવી છે કે જેથી હાલાર સહિત સમગ્ર રાજ્યનુ નામ રાષ્ટ્રકક્ષાએ પ્રથમ વખત ઝળક્યુ છે, વાત છે ડો. વિજય પોપટની જેઓ મેડીકલ કોલેજમા પ્રોફેસર છે પેથોલોજીના હેડ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડીકલ ફેકલ્ટીના ડીન છે આ બધુ જ હોવા સાથે સૌથી મોટો ગુણ કે તેઓ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે તેમની પ્રગતિએ તેમના સંકલ્પ બળનુ પરિણામ છે અભ્યાસ કાળથી જ તેઓ હંમેશા લોકો વચ્ચે રહ્યા અને લોકપ્રિય રહ્યા છે આ લોકપ્રિયતા જાળવી રાખવી અઘરૂ છે તે કપરૂ કાર્ય સદાય ડો.પોપટે સહજતાથી અને સદાય સ્મિતથી મેન્ટેઇન કર્યુ છે અને આજે પણ “વિજય” IMA ના V.P. તરીકે “વિજય” થયા
જામનગરની મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટીમાં ડીન ડો. વિજય પોપટ રાષ્ટ્રીય આઈએમએના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા છે એટલું જ નહી તેમને આઈએમએના ઈતિહાસમાં સૌથી વધુ 91.17 ટકા મત મળ્યા છે. રાષ્ટ્રીય ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ડો. વિજય પોપટ ચૂંટાતા જામનગરના તબીબી જગતમાં હર્ષની લાગણી ફેલાઇ છે આ ખુશી એટલા માટે બેવડાઇ છે કે હાલાર માટે પ્રથમ વખત એવું બન્યું કે આ રાષ્ટ્રીસ્થાન મળ્યું છે તેમને આ ચુંટણીમાં ટોટલ 2040 વોટમાં થી 1860 મત મળ્યા એટલે 91.17% મત ડો.પોપટને મળ્યા છે જે એક રેકોર્ડ છે માટે આ વિજય જેનુ નામ છે તેનો વિજય થતા બમ્પર જીત નોંધાઇ છે.
– નેશનલ આઇ.એમ.એ. શું છે.?
નેશનલ આઈએમએ એક એવી બોડી છે કે જે આખા દેશની ટ્રીટમેન્ટની પદ્ધતિ નક્કી કરે છે આઈએમએનું પોતાનું જર્નલ છે. અને આ એસોસિયેસન ડોક્ટરોના પ્રોટેક્શન માટે લડે છે તેમજ આ સંસ્થાનો રોલ ખુબ મહત્વનો છે અને દેશના જુદા જુદા રાજ્યોના લાખો ડોકટરો આ સંસ્થા સાથે જોડાયેલા છે
– મને આનંદ છે કે રાષ્ટ્રીય કક્ષાએ સેવાની તક મળી-ડો.પોપટ
ઇન્ડીયન મેડીકલ એસો. ના વાઇસ પ્રેસીડન્ટ ડો.વિજય પોપટે Mysamachar.in સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આ ચુંટણીમા દરેક રાજ્યમાંથી વોટીંગ થયું છે જે નોંધપાત્ર બાબત છે અને હોદેદાર તરીકે ડોક્ટરોના હિત માટે તેઓ સજાગ રહેશે તેવો કોલ આપ્યો છે આ તકે તેમણે જણાવ્યુ કે જામનગર સહિત સમગ્ર રાષ્ટ્રમા આ કોરોના કાળમાં તબીબોએ ખુબ સારી કામગીરી કરી છે હજુય સમાજનું ભલું થાય સમાજની સેવા થાય તેવા પ્રયાસ કરવા છે તેમજ ગુજરાતનું આ લેવેલે પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તે સાર્થક કરવા તેઓ કટીબદ્ધ છે તેઓ યુજીમાં એમબીબીએસ સમયે કોલેજમાં જીએસ હતા, તેમજ જામનગર બ્રાંચના પ્રમુખ રહી ચુક્યા છે તેમજ ગુજરાત આઇ.એમ.એ.ના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે તબીબી ક્ષેત્રે પ્રગતિ સાથે લોકપ્રિયતા લોકસંપર્ક અને લોક કલ્યાણની મિશાલ ડો.પોપટે સમગ્રપણે વધુ સક્રિય રહેવાના હોવાનો કોલ દોહરાવ્યો છે.