Mysamachar.in-જામનગર
જામનગરનો લાલ પરિવાર હમેશા શહેરીજનોના સુખદુખમાં સાથે રહેવા માટે જાણીતો છે, અને કુદરતી આપદાઓ કે કોઈ વિકટ સમયે શક્ય તે તમામ મદદ કરવા માટે આ પરિવાર હમેશા ખડેપગે જ હોય છે, તો લાલ પરિવાર દ્વારા ટ્રસ્ટના માધ્યમથી થતી સેવાકીય પ્રવૃતિઓથી ના માત્ર જામનગર પણ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો પણ વાકેફ છે, એવામાં જામનગરમાં આરોગ્યક્ષેત્રે કઈક લોકઉપયોગી થવાની ભાવનાના ભાગરૂપે શહેરમાં રતનબાઇ મસ્જીદ પાસેની વિશાળ જગ્યા પર કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી કાર્યરત કરવા માટે રૂ. 125 લાખના ખર્ચે આધુનિક ઈમારતનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ઈમારત તૈયાર કરીને મહાનગરપાલિકાને સુપ્રત કરાશે જેમાં શહેરીજનો માટે આરોગ્ય સેવા કાર્યરત થશે. શહેરમાં રતનબાઇ મસ્જીદ પાસેની છ હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ઉપર સીટી ડીસ્પેન્સરી માટે નવી ઈમારત નિર્માણ કરવાની જવાબદારી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશને સંભાળી છે.આ જગ્યા પર નવા આરોગ્ય ધામના નિર્માણ માટે ઈ-ખાતમુહુર્ત થોડા સમય પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું હતું સીટી ડીસ્પેન્સરીવળી જમીન પર નવી ઈમારતના નિર્માણ માટે જમીનની સોપણી મહાનગરપાલિકાએ તા.03/12/2020 ના રોજ સખાવતી સંસ્થાને કરી એ પછી ફક્ત ત્રીજા જ દિવસે બાંધકામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
એ પછી આ જમીન પર બાંધકામ શરૂ કરતા પૂર્વ શાસ્ત્રોકત વિધિ પૂર્વક પૂજનનો કાર્યક્રમ ગત રવિવારે તારીખ 6 ના યોજાયો હતો જેમાં શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ તથા ટ્રસ્ટી જીતુભાઈ લાલ હસ્તે પૂજન કરાયું હતું. પ્રર્વતમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આ પૂજન વિધિ માત્ર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં જ સંપન્ન કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં નાની હોસ્પિટલ તરીકે લોકોમાં જાણીતી જૂની સીટી હોસ્પિટલ બાંધકામ વર્ષ 2001 ના વિનાશક ધરતીકંપ તદન નબળું જતા આ બાંધકામ જુનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. હવે આ વિશાળ જગ્યા પર ભોયતળિયું તેમજ તેના ઉપર એક મજલાની આધુનિક ઈમારતનું નિર્માણ લાલ પરિવારના બે ટ્રસ્ટો ધ્વારા રૂ. 125 લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરીજનોને સામાન્ય આરોગ્ય તકલીફ માટે નજીકમાં જ આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી રહે તે માટે આ નવનીર્મિત ઈમારતમાં શહેરી આરોગ્ય કેન્દ્ર મહાનગરપાલિકા ધ્વારા કાયમ માટે કાર્યરત કરવામાં આવશે.